________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે સર્વ અપેક્ષાએ વસ્તુનું સ્વરૂપ તપાસવું અનેક અપેક્ષાએ . વસ્તુને તપાસવાની આ રીતિને અનેકાંતવાદ પણ કહેવામાં આવે છે. આ રીતિ અથવા આવી વિચાર શ્રેણિ જૈનધર્મ અંગીકાર કરેલી હોવાથી જૈનધર્મને સ્યાદ્વાદ અથવા અને કાંતવાદનું અભિધાન મળેલું છે; અને જૈને સ્યાદ્વાદવાદી અથવા અનેકાંતવાદી કહેવાય છે. વસ્તુ માત્રમાં અનેક ધમે હોય છે, કેટલાક ગાણ હોય છે અને કેટલાક મુખ્ય હોય છે. હવે પ્રધાન કે ગણુ ધર્મનું પ્રતિપાદન કરવામાં આવે, અને બાણ કે પ્રધાન ધર્મને અપલાપ કરવામાં આવે આવે તે તેને જૈનશાસ્ત્ર નયાભાસ કહે છે, અને તે રીતિને મિથ્યાત્વનું નામ પણ આપે છે. તત્ત્વને તવ રીતે ન જાણવું તે જ મિથ્યાત્વ અથવા મિથ્યાજ્ઞાન અજ્ઞાન છે. કેટલાંક ટૂછાન્ત આપવાથી આ બાબત વધારે સારી રીતે સમજાશે એમ ધારી અગે તે આપવામાં આવે છે. રામલાલ મેહન. લાલને પુત્ર પણ રામલાલ વાડીલાલને પિતા છે, એકજ રામલાલ પિતા અને પુત્ર છે. સ્યાદ્વાદ મતવાળાને કહેવાને ભાવાર્થ એ નથી કે પિતા અને પુત્રરૂપ બે વિરોધી ગુણ એકજ રામલાલમાં આવેલા છે. એક જ માણસ બીજા એ. કજ માણસને પિતા અને પુત્ર થઈ શકે નહિ, અને એ અસંગત વિચારતે જૈનધર્મ કદાપિ અંગીકાર કરે નહિ. તા૫ર્થ એ છે કે રામલાલ મોહનલાલની અપેક્ષાએ પુત્ર છે, અને તેજ રામલાલ વાડીલાલની અપેક્ષાએ પિતા છે. માટે પિતા અને પુત્રરૂપ વિરોધી ધર્મ પણ જુદી જુદી અપેક્ષાએ એકજ રામલાલમાં રહી શકે. તેજ રીતે તપા
For Private And Personal Use Only