________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६७
તેનું માત્ર અત્ર સ્મરણ કરાવવામાં આવે છે. સામાન્ય વિદ્યા પણ વિનય શિવાય—–ગુરૂભક્તિ શિવાય—પ્રાપ્ત થતી નથી, તે પછી આત્મજ્ઞાન જેવા ગહન વિષય ગુરૂભક્તિ વિના શી રીતે પ્રાપ્ત થઇ શકે?
કરવાના ત્રણ
આ જગતમાં પરાપૂર્વથી જ્ઞાન પ્રાપ્ત માગ ગણવામાં આવેલા છે; ધન, વિદ્યા અને રૂપાદશુશ્રુષા ધનથી વિદ્યા પ્રાપ્ત કરવી એ વિદ્યા મેળવવાના કનિષ્ઠ માર્ગ છે. વિદ્યા આપી વિદ્યા પ્રાપ્ત કરવી એ મધ્યમ માર્ગ છે. પણ ગુરૂના ચરણ કમળની સેવા કરી ગુરૂકૃપા દ્વારા ગુરૂના આશીર્વાદ દ્વારા જ્ઞાન મેળવવુ તે વિદ્યાના ઉત્તમ માગ છે. માટે જ અત્રે કહેવામાં આવ્યુ` છે કે ગુરૂની અત્યંત ભક્તિ પૂર્વક ઉપાસના કરવી અને ધર્મનું શ્રવણુ કરવુ. આ Àાકમાં પ્રણામ કરવા અનેભક્તિ કરવી એ એ વિશેષ મુકવામાં આવ્યા છે, તે જૈન શાસ્ત્રમાં દશાવેલ આમ્નાય સમજવાં; વિનયવ'તનેજ વિદ્યા આપવી જેમ દુધ સર્વ પ્રાણીમાત્રને હિતકારી છે, પણ સર્પ તે પીએ છે, ત્યારે ઝેર રૂપે ફેરવાઇ જાય છે, તેમ આત્મજ્ઞાન અત્યંત હિતકારી અને મેક્ષમાર્ગ સાધક છતાં કુશિષ્યને આપવામાં આવે તે અનર્થકારી નીવડે છે. તેમાં આત્મ જ્ઞાનના દોષ નથી. પણ કુશિષ્યરૂપ ખરાબ અધિકારીના દોષ છે. માટે ગુરૂએ પણ ચગ્ય અધિકારી જોઈ આ આત્મજ્ઞાનના મહાન વિષય શિખવવા, એજ લક્ષ્યાર્થ છે.
अवतरणम् - सदुपदेशस्तु सद्गुरुशरणमन्तरेण न फल --
For Private And Personal Use Only