________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થિતિને સહાય આપે તે અધર્મ કહેવાય છે. જેવી રીતે મસ્યને ચાલવામાં જળ સહાયભૂત થાય છે, તેવી રીતે સર્વને ચાલવા હાલવામાં સહાય કરનાર ધર્મ દ્રવ્ય ગણવામાં આવેલું છે. તે અદશ્ય છે, અને એક છે, તેમજ વળી અસંખ્ય પ્રદેશમય છે. અને જેવી રીતે વૃક્ષની છાયા મુસાફરને સ્થિતિ કરવામાં સહાયભૂત નીવડે છે, તેવી રીતે દરેક પદાર્થને સ્થિરતા પ્રાપ્ત કરવામાં સહાયભૂત જે દ્રવ્ય તે અધર્મ દ્રવ્ય જૈનશાસ્ત્રકારોએ માનેલું છે; તે પણ ધર્મ દ્રવ્યની માફક એક, અદશ્ય અને અસં
ખ્ય પ્રદેશમય છે. આ બન્ને દ્રવ્ય લેકવ્યાપી છે. અલેકમાં ધર્મ અને અધર્મ દ્રવ્ય નથી. ત્યાં ફકત આકાશ દ્રવ્ય છે, જે લોકમાં પણ વ્યાપી રહેલું છે. અવગાહ આપે તે આ કાશ. જેમ જળના લેટાની અંદર આપણે પાશેર મીઠું નાખીએ અને તે ઓગળી જાય છે. કારણ કે જળના પરમાણુઓ વચ્ચે અવગાહ હતું. આ અવગાહ (અવકાશ) આપવામાં જે સહાયભૂત થાય છે, તેને આકાશ કવ્ય કહે. વામાં આવે છે. અને દરેક સમયે સમયે પદાર્થના જુના પચાને ફેરવી, નવા પર્યાયરૂપે બદલી નાખે છે, એ જેને સ્વભાવ છે, તેને કાળ કહેવામાં આવે છે. આ રીતે ચાર અમૂર્ત દ્રવ્ય છે. આ ચાર દ્રવ્ય પાંચ ઈ િવડે દેખી શકાતાં નથી, પણ તેમની સિદ્ધિ આપણે વાતે તે અનુદાનથી થઈ શકે. સર્વજ્ઞ પ્રભુ તે બધા દ્રવ્યને જોઈ શકે, પણ આપણે આપણું ઇન્દ્રિયે વડે તેમને દેખી શકીએ નહિ માટે આપણી અપેક્ષાએ તે અમૂર્ત છે.
For Private And Personal Use Only