________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
न्यचिरिति चेच्छृणु जीवानां ध्यायकस्यादृष्टस्यवोन्दबोधकत्वा
नानुपपत्तिः स्मरणस्य त्वन्मते त्वात्मनोऽभावाददृष्टम् कुतस्त्यमित्यस्मिन्नपि पक्षे मूळभाव एव ते शरणमिति नास्ति शशकशिरास सिंहनखमहारावसरः ॥ ७३ ।।
અવતરણ–આભામાં પિતાને પૂર્વ જન્મ જાણવાની પણ શકિત રહેલી છે કારણ કે તે નિત્ય છે, તે બાબત હવે ગ્રન્થકાર જણાવે છે.
અથ–સર્વ પદાર્થ આત્માની જાણવાની શકિતથી જરૂર જણાય છે. અને આત્માના નિત્યપણાને લીધે તેનામાં પૂર્વ જન્મ જાણવાનું પણ બળ છે. ૭૩
ભાવાર્થ–આત્મા સ્વભાવે જ્ઞાનમય છે, તેથી તેને નામાં આ જગના સર્વ પદાર્થો જાણવાની શકતી રહેલી છે. જ્ઞાન એજ આમાનું મુખ્ય લક્ષણ છે. શરીર બાળક થાય છે, પુખ્ત વયનું થાય છે અને વૃદ્ધ બને છે, પણ આ ત્રણ દશામાં મનુષ્ય તે તેને તેજ રહે છે, તેમ આભા જુદી જુદી ગતિમાં જાય છે, છતાં તેને તેજ રહે છે, કારણ કે તે નિત્ય છે. જેમ જીર્ણ વસ્ત્રને ત્યાગ કરી માણસ નવું વસ્ત્ર પહેરે છે, તેમ આત્મા જીણું શરીરને ત્યાગ કરી નવું શરીર લે છે. વસ્ત્ર બદલવાથી માણસ બદલાતું નથી, તેમ દેહ બદલવાથી આત્મા બદલાતું નથી. કેઈ મનુષ્ય આજે પાંચસે રૂપિયાનું દેવું કર્યું હોય, તે રાત્રે સુઈ રહે, બીજે દિવસે જાગે, ત્યારે તે કાંઈ દેવામાંથી છુટ થતું નથી, તેને તે આગળના દિવસે કરેલું દેવું આપવું જ પડે છે..
For Private And Personal Use Only