________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રત્યુત્તર રૂપે જણાવવું જરૂરનું છે કે આત્મા જ્યારે નિ ર્મળ થાય ત્યારે તેની આ શકિત પ્રકાશી નીકળે છે. જેમ સૂર્યથી સર્વ પદાર્થ જોઈ શકાય, પણ જે વાદળ આવ્યું હોય તે આપણે વસ્તુઓને બરાબર નિહાળી શકતા નથી. સૂય તે તેની મેળે પ્રકાશ્યા જ કરે છે, પણ વાદળ આપણને અંતરાય રૂપ થાય છે; તેમ આ સ્થળે પણ આત્મામાં તે સર્વ પદાથે જાણવાની શકિત રહેલી છે, પણ કમ આપણને અંતરાય રૂપ થાય છે. અને તેથી સર્વ વસ્તુઓનું જ્ઞાન આત્માને થતું નથી. તે પછી એ પ્રશ્ન આપણા આગળ ખડો થાય છે કે આ કર્મને શી રીતે તોડવાં કે આ ત્મપ્રકાશને કોઈ પણ પ્રકારનું વિન આવે નહિ. એ પ્રશ્ન અતિ અગત્યને છે, અને તેને આપણે અત્રે વિચાર કરીશું. આ કાર્યને વાતે મનની નિર્મળતાની જરૂર છે. અને મને નની નિર્મળતા મેળવવાને ઈન્દ્રિયોના વિકારેને મમત્વ ભાવ ત્યાગ જોઈએ, તેની સાથે મનની અંદર ઉઠતા અનેક વિકારે અને તરંગ ઉપર જય મેળવી તેમને મનમાંથી દૂર ખસેડવા જોઈએ. આથી મન શાંત અને શુદ્ધ બનશે. આ સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી આત્મધ્યાન કરવું જરૂરનું છે, આત્મા પર મનને સ્થિર કરવાથી કર્મવર્ગણાઓ સ્વયમેવ ખરવા માંડે છે, અને આમ પ્રકાશ વિશેષ વિશેષ કુરવા માંડે છે. આમ ઉત્તરોત્તર આગળ વધતાં સર્વ કર્મ રજકણે દૂર ખસી જાય છે, અને મન શુદ્ધ અને નિર્મળ બને છે, તે વખતે આત્માને પ્રકાશ યથાર્થ થાય છે. શાંત અને નિર્મળ સરોવર પર સૂર્યને પ્રકાશ બરાબર પડે છે, તેમ આ વિ.
For Private And Personal Use Only