SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને તત્વના અર્થના જાણકાર ગુરૂનું હદયથી ધ્યાન કરીને આત્મપ્રદીપ નામનેથ હું વિસ્તારૂં છું . ૧ ભાવાથ–પ્રારંભેલું કાર્ય નિર્વિદને સમાપ્ત થાય તે હેતુથી શિષ્ટ સંપ્રદાય પ્રમાણે, ગ્રંથકર્તા મંગલાચરણરૂપે પ્રથમ ઈષ્ટદેવની અને ગુરૂની સ્તુતિ કરી ગ્રંથ લખવાને આરંભ કરે છે. કેવળી ભગવાને પ્રરૂપેલી વાણીના સ્વામીનું એટલે. અહંતુ પ્રભુનું પ્રથમ ગ્રંથકતા હૃદયથી સમરણ કરે છે. જેને ત્રીશ અતિશયવાળી વાણીના પ્રરૂપક જીનેશ્વર ભગવાન છે. તેમણે કેવળજ્ઞાન દ્વારા જણાવેલા સર્વ ભાવને લેકેને બોધ આપી પિતાનું વાગીશપણું સિદ્ધ કર્યું છે, રાગ દ્વેષ અને સકલ કમ સમૂહને જીતેલા હેવાથી તે જીનેશ્વર કહેવાય છે. તેવા જન ભગવાનને પ્રથમ વંદન કરી ગ્રંથ. કત ગુરૂનું ધ્યાન કરે છે. ગુરૂનું લક્ષણ પણ આજ લેકમાં આપેલું છે, તત્ત્વાર્થને જાણવાવાળા ગુરૂપદને લાયક છે. વસ્તુનું ખરું સ્વરૂપ તે તસ્વ. (ત મા વતરામ )તે તત્ત્વના અર્થને સમ્યગ રીતે જે જાણે તે ગુરૂ કહેવાય તેવા ગુરૂને પણ ગ્રંથકત ગ્રંથારભે નમસ્કાર કરે છે, કેવળ બાહ્ય નમસ્કાર નહિ કરતાં હૃદયથી તેમનું ધ્યાન ધરે છે, તેમના પ્રતિ ભક્તિની લાગણી પ્રદર્શિત કરે છે. આ રીતે દેવ અને ગુરૂનું ધ્યાન કરી, તેમના ધ્યાનથી શુદ્ધ થયેલી ચિત્તવૃત્તિ વડે ગ્રંથકર્તા “આત્મ પ્રદીપ” નામને ગ્રંથ રચવાને પ્રારંભ કરે છે. આત્મપ્રદીપ એ નામની સાર્થકતા આપણે વિચારીએ. For Private And Personal Use Only
SR No.008529
Book TitleAtmapradip Granth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages318
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Soul
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy