________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ-આઠ કર્મથી મુકત છુટા થયેલા તે મુકત જાણવા. અને નિગોદથી આરંભ કરીને સર્વાર્થસિદ્ધદેવલેક સુધી અથવા પ્રથમ ગુણસ્થાનક મિથ્યાત્વથી આરભીને તેરમા ગુણસ્થાનક સુધીના સર્વ જી અમુક્ત જાયુવા. અમુક્તને સંસારી પણ કહેવામાં આવે છે. જેઓ કર્મ બંધનથી મુકત થયા છે, અને જેઓએ કેવળજ્ઞાનથી
કાલેક જાણ્યું છે, તેઓ મુકત સમજવા; અને જેઓ કોઈપણ રીતે કર્મ બંધનથી બંધાયેલા છે, તેઓ અમુકત અથવા સંસારી તરીકે લેખાય છે. નિશ્ચય નયની અપેક્ષાએ તે આત્મા ત્રણેકાળમાં મુકત છે, પણ જ્યાં સુધી મમત્વભાવ ( દેહાધ્યાસ ) છુટ નથી, અને પુદ્ગલ પદાર્થને આત્મા પિતાના તરીકે લેખે છે, ત્યાં સુધી આત્મા કદાપિ મુકત થાય નહિ, ત્યાં સુધી તે અમુકત કહેવાય છે. સ્વસ્વ ભાવરમણતા એ મુકિત; અને પરભાવ રમણતાએ બંધ, આ ભેદ પ્રમાણે પણ મુકત અને અમુક્ત રૂપ આત્માના ભેદો ગ્યજ છે.
આ પ્રમાણે જીવના ભેદે દર્શાવ્યા. હવે અજીવના ભેદ ગ્રંથકાર પ્રગટ કરે છે. અજીવના પાંચ ભેદ છે. તે પાંચ દ્રવ્યમાં ચાર દ્રવ્ય અમૂર્ત છે અને એક પુગલ મૂત છે. હવે તે ચાર અમૂર્ત દ્રવ્યનું વર્ણન કરે છે. તે દ્રવ્ય ધર્મ, અર્થ, આશ અને કાલ છે ધર્મ આ સ્થળે પુણ્યના સ્વરૂપમાં વર્ણવવામાં આવ્યું નથી, પણ ધર્મનો અર્થ જૈન સંપ્રદાય પ્રમાણે જુદે છે. તેમ અધર્મને અર્થ પાપ નથી. જે ગતિને સહાય આપે તે ધર્મ કહેવાય છે અને જે
For Private And Personal Use Only