________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૭ તેવા મનુષ્ય કદાપિ આમધ્યેય સાધી શકવા સમર્થ થતા નથી. માટે વસ્તુઓની અસારતા સમજી તે પર વૈરાગ્ય ભાવ રાખ. વળી કેટલાક એવા પણ મનુષે માલૂમ પડે છે કે જેઓ વિરાગ્યની મેટી વાતો કરે છે, પણ કે પણ વસ્તુ ઉપરથી જરાપણ મમત્વ ભાવને ત્યાગ કરી શકતા નથી. હેજ પણ ઈષ્ટ વસ્તુને વિગ થતાં અથવા અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ થતાં, તેમના મનમાં અનેક પ્રકારની ચિંતા પુરે છે. તેઓ મનની સ્થિરતા જાળવી શકતા નથી, અને ગાંડા મનુષ્યની માફક વર્તે છે; આવી વૈરાગ્યવૃત્તિ પણ અનુચિત છે. માટે બાહ્ય અને અંતર ત્યાગ બનેની જરૂર છે. બાહ્ય ત્યાગ કરતાં પણ અંતર ત્યાગની વિશેષ આવશ્યકતા છે, એ બાબત ભુલવી જોઈએ નહિ. આ પ્રમાણે જેને સ્થિતિ મેળવી છે, તે મનુષ્ય ખરેખરી રીતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાના માર્ગને માટે લાયક અધિકારી બને છે. જેનું મન વૈરાગ્ય ભાવનાથી રંગિત છે, તે મનની સ્થિરતા પ્રમાણમાં વિશેષ જાળવી શકે છે, અને તેથી તે પિતાનું આત્મબળ આચ્છાદિત ગુણેને પ્રગટ ટ કરવામાં વાપરી શકે છે. મન સ્થિર અને શાંત હોય છે, ત્યારે તે નિર્મળ અને કલરહિત સરેવર તુલ્ય ભાસે છે; જેમ નિર્મળ સરોવરમાં સૂર્યને પ્રકાશ પરિપૂર્ણ રીતે પડે છે, તેમ આવા વૈરાગ્ય ભાવનાના બળથી શાંત થયેલા મનમાં આત્મ જતિને પ્રકાશ બરાબર રીતે પડે છે. જેમ મનની વધારે નિર્માતા અને શાંતતા, તેમ આ ત્માને વિશેષ પ્રકાશ પ્રગટ થવાને એ નિઃસંશય છે, માટે
For Private And Personal Use Only