________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવતરણ–આભા કેઈપણ સંજ્ઞા રહિત છે, તેને અપાયેલાં સર્વ નામ ઉપાધિને આશ્રયી છે, આત્મા તે નિનમી છે, એ વાતને હવે ગ્રન્થકાર પ્રગટ કરે છે.
અર્થ–આત્માનું નામ નથી, આત્મા અનામી છે, એવું શાસ્ત્રમાં કહેલું છે, માણસ, દેવ વગેરે નામ છે તે વ્યવહારથી છે, એમ સમજવું. . ૫૧ ૧
ભાવાર્થ-આત્માને નામ નથી તે અનામી છે; દેવચંદ, શાંતિ, વીરચંદ્ર, ચિત્ર, મિત્ર, વિગેરે જે જે નામે આત્માને આ પણે આપીએ છીએ તે મિથ્યા છે. નામ આત્મામાં રહેતાં નથી માટે આત્મા અનામી કહેવાય છે, એવું શાસ્ત્રો કહે છે. લાકિક કહેવત પણ જણાવે છે કે “ નામ તેને નાશ છે,” પણ આત્મા અમર હોવાથી નામ રહિત છે. આપણે જે જે નામ આત્માને આપીએ તે સર્વ વ્યવહારથી છે, એ યાદ રાખવું. જ્યારે આત્મા દેવની સ્થિતિને એગ્ય શરીર ધાર. ણ કરે છે, ત્યારે આપણે તેને દેવ કહીએ છીએ, જ્યારે મનુષ્યની સ્થિતિને એગ્ય શરીર તે લે છે, ત્યારે આપણે મનુષ્યની સંજ્ઞા તેને આપીએ છીએ. જેમ સ્ફટિકમણિ નિર્મળ રંગનું છે; તેની નીચે જેવા રંગનું વસ્ત્ર મુકવામાં આવ્યું હોય તે તેને રંગ ભાસે છે, તેમ આત્મા તે અનામી છે, પણ કર્મને લીધે જે જે ઉપાધિના સંબંધમાં આવે, તે તે ઉપાધિને લગતું નામ લેક તેને આપે છે. આ રીતે દેવ, મનુષ્ય, તિર્યંચ વનસ્પતિ વગેરે નામે આત્માને આપવામાં આવે છે. જે નામ ન આપવામાં આવે તે જગતને વ્યવહાર ન ચાલે, અને અવ્યવસ્થા થઈ જાય,
For Private And Personal Use Only