________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે કે જેને આપણને આપણી હાલની સ્થિતિમાં ખ્યાલ આવે પણ મુશ્કેલ લાગે છે.
આઠ કર્મ અને તેની ૧૫૮ પ્રકૃતિ અને તેના જુદા જુદા ભેદેને વિચાર કરતાં માણસનું મન નાસીપાસ થાય છે. આટલાં બધાં કર્મને હું કેવી રીતે સંહાર કરી શકીશ તે વિચાર તેને નિરૂત્સાહી બનાવે છે પણ આમાના દરેક પ્રદેશમાં અનંતી કર્મ વર્ગને નાશ કરવાનું સામર્થ્ય રહેલું છે, એ વિચાર જ્યારે ધમ શાસ્ત્રો રજુ કરે છે, ત્યારે મનુષ્યમાં હીમત આવે છે, તેના આત્મબળમાં વિ. શ્વાસ આવે છે. અને આત્મબળમાં જે વિશ્વાસ રાખી ધ્યાન માર્ગમાં પ્રવર્તે છે તે અશુભ કર્મદળને અ૯પ સમયમાં વિખેરી નાંખે છે. કહ્યું છે કે
अहोऽनन्तवीर्योऽयमात्मा विश्वप्रकाशकः॥ त्रैलोक्यं चालयत्येव ध्यानशक्तिप्रभावतः ।।
અહે? વિશ્વને પ્રકાશ કરનાર આત્મા અનંત શકિત વાળે છે, અને ધ્યાન શક્તિના પ્રભાવથી ત્રિકન ચલાવવા પણ તે સમર્થ છે. ધ્યાનના ચાર ભેદ છે. આર્તધ્યાન, રિદ્રયાન, ધર્મ યાન, અને શુક્લધ્યાન. તેમાં પ્રથમના બે પ્રકાર સર્વથા ત્યાજ્ય છે. ધર્મયાન શુભ કર્મ ઉપાર્જન કરવામાં સહાયકારી છે. પુણ્યાનુબંધી પુણ્ય ધર્મ ધ્યાનથી પ્રાપ્ત થાય છે. અને ધર્મધ્યાનથી પણ ઉચે ચઢીને મનુ૫ શુકલ ધ્યાનને આશ્રય લે છે, શુકલ ધ્યાનના દા
For Private And Personal Use Only