________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
પ.
ભાવાર્થ-હે ચેતન ! ! તું મારું મારું એમ ઘેલે-મૂઢ બનીને શું કરે છે? આ દુનિયામાં સર્વને સંગ-મેલ થાય છે તે સ્વાર્થી છે. તું કઈ નથી અને કોઈ હારૂં નથી. સર્વને સ્વાર્થથી મેળો છે તેમાં સ્વાર્થ વિષય સંબંધમાં શુદ્ધ પ્રેમ નથી, તથા નિષ્કામભાવ નથી. પ્રતિષ્ઠા કીર્તિ નામરૂપ મેહવાસનાઓ છે તે અન્તરની સ્ત્રીઓ છે. તેઓની સાથે રાગ તે અત્તર ભાવ મૈથુન છે, તેના ત્યાગ વિના આન્તર આત્મિક બ્રહ્મચર્ય નથી. આત્માની સાથે જડ પુગલ વસ્તુઓ અને તેઓની સાથની મેહની વૃત્તિ છે તે સર્વે, વસ્તુતઃ આત્માથી ન્યારી છે. માટે હે ચેતન ! ! આત્માને, સર્વથી ન્યારો, સર્વ મહાદિથી પેલી પાર એકલે સમજીને તું ગાંડ બનીને જડમાં! મહારું હારું કરીને દુઃખી ન થા!! જીવતાં જ દેહાદિક મોહભાવથી મરીને મડદા જેવો બાહ્યમાં બની જા. મડદાને જેમ કોઈ પૂજે નિંદે તો તેની અસર જેમ મડદાને થતી નથી તેમ તું બાહ્યદુનિયામાં તે બની જા!! અને આત્માના ઉપયોગ જીવનથી જીવતો થા !! તું એક દિવસ એક અણધાર્યો ઉઠીને ચાલીશ અને પછીથી આત્માની સાથે આત્મભાવે મળવું દુર્લભ છે, માટે હાલને હાલ આત્માની સાથે મળ ! બાહ્યમાં મારું હારું કરીને પોતાના માટે તથા કુટુંબાદિકમાટે કયાં પાપ કર્મો કરે છે ? હને જે દુઃખ પડે છે તેમાં બીજાઓ
For Private And Personal Use Only