________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
છે એ હવે કેમ નષ્ટ થશે ? એમ માનનારાઓને શિખામણ છે કે કર્મને નાશ કરવા માટે પુરૂષાર્થ કરવાથી સૂર્ય પરથી જેમ વાદળ ખસે છે તેમ આત્મા ઉપરથી કર્મ ખસી જાય છે અને આત્મા સૂર્યની પેઠે લોકલેક પ્રકાશી થાય છે. શ્રી મણિચંદ્ર મહારાજ કહે છે કે આત્માના સ્વરૂપમાં પ્રેમ લગની લાગવાથી મન પણ આત્મામાં જ લીન થાય છે. એ આત્માની લગનીને તન
નાટ શ્રી મણિચંદ્રજી મહારાજે અનુભવ્યો હતો. જ્ઞાન અને પરમાનંદનો અનુભવ તેજ આત્માનું શુદ્ધસ્વરૂપ છે. જ્ઞાન અને પરમાનંદ જે જે કાલે અનુભવાય છે તે તે કાલે આત્મા રૂપપ્રભુની લાલી પ્રગટી છે, અને તત્કાલે આત્મપ્રભુ પ્રગટ થયા છે એમ જાણવું. વારંવાર આંતરે આંતરે પ્રભુ પ્રગટે અને પાછા છુપાઈ જાય એવા ક્ષપશમભાવે આત્મપ્રભુની પ્રગટતા જાણવી. આત્મા પૂર્ણત્સાહથી આત્મામાં રંગાય એટલે આત્મ પ્રભુ પોતાનાથી ભિન્ન નથી. આત્મામાં પૂર્ણ પ્રેમથી રંગાવામાં આત્માનંદની મઝા રહી છે.
છે વીસમી સજ્જાય છે
For Private And Personal Use Only