________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निरञ्जनो निराकारो रूपस्थोऽपि न रूप्यहम् । विभावपरिणामस्थो वस्तुतोऽहं स्वभाववान् ॥ ४१६ ॥
નિરંજન, નિરાકાર એવો હું રુપસ્થ હોવા છતાં પણ રુપી નથી. વિભાવ પરિણામમાં રહેલો હું વસ્તુતઃ સ્વભાવવાળો છું. (૪૧૬)
रागद्वेषपरीणामो वैभाविकः स उच्यते । ततो भिन्नो निजात्माऽस्ति राग द्वेषं च मा कुरु ॥४१७ ॥
રાગ અને દ્વેષ યુક્ત પરિણામ, તે સ્વભાવિક (અર્થાત્ વિભાવનો પરિણામ) કહેવાય છે. તેનાથી ભિન્ન એવો પોતાનો આત્મા છે. માટે તું રાગ અને દ્વેષ કર મા. (૪૧૭)
सर्वपुद्गलतो भिन्नो रागः शुद्धात्मनः शुभः । आत्मरागेण शुद्धात्मज्ञानी ब्रह्मरसी भवेत् ॥ ४१८ ॥
સર્વ પુદ્ગલોથી ભિન્ન એવો શુદ્ધાત્માનો રાગ એ શુભ છે. આત્મરાગથી શુદ્ધાત્મજ્ઞાની બ્રહ્મરસવાળો થાય છે. (૪૧૮)
आत्मपुद्गलसंयोगादनादिकालतोऽशुभः । वैभाविकपरीणामो वर्तते सर्वदेहिनाम् ॥ ४१९॥
અનાદિ કાલથી આત્મા અને પુગલના સંયોગને લીધે બધા દેહધારીઓને અશુભ વૈભાવિક પરિણામ વર્તે છે. (૪૧૯)
वैभाविकपरीणामनाश आत्मोपयोगतः। आत्मोपयोगिनां शुद्धः परीणाम: प्रजायते ॥४२०॥
વેભાવિક પરિણામનો નાશ આત્મોપયોગથી થાય છે. તેથી આત્મોપયોગવાળાઓને શુદ્ધ પરિણામ ઉત્પન્ન થાય છે. (૪૨૦)
८४
For Private And Personal Use Only