________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सधनो निर्धनो वा स्याद् भोगी रोगी च राज्यवान् । आरण्यो वा गृही त्यागी मुक्तः शुद्धोपयोगतः ॥ ४११ ॥
ધનવાન કેનિધન, ભોગી કે રોગી, રાજ્યવાળો કે વનવાસી અથવા ગૃહસ્થ કે ત્યાગી શુદ્ધોપયોગથી મુક્ત થાય છે. (૪૧૧)
नपुंसको नरो नारी यः कोऽपि स्वोपयोगवान् । यादृक्तादृगवस्थायां मुक्तः स्यान्नैव संशयः॥४१२॥
નપુંસક, પુરુષ કે સ્ત્રી જે કોઈ પણ પોતાના આત્મામાં ઉપયોગવાળો હોય છે, તે ગમે તે અવસ્થામાં મુક્ત થાય જ છે, એમાં સંશય નથી. (૪૧૨).
ब्राह्मणाः क्षत्रिया वैश्याः शूद्राश्च स्वोपयोगतः। म्लेच्छा मुक्तिपदं यान्ति नानालिङ्गादि धारिणः ॥ ४१३
વિવિધ વેષ વગેરેને ધારણ કરનારા બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, શૂદ્રો અને પ્લેચ્છો પોતાના આત્મામાં ઉપયોગથી મુક્તિપદ પામે છે. (૪૩૧)
नाऽहं बालो युवा वृद्धो न वा नारी पुमानहम् । नाऽहं देहश्च देही वा पुद्गलस्थो न पुद्गली ॥ ४१४ ॥
હું બાળક, યુવાન કે વૃદ્ધ નથી. હું સ્ત્રી કે પુરુષ નથી. હું દેહ કે દેહી નથી અને હું પુદ્ગલોમાં રહેલો હોવા છતાં પુદ્ગલવાળો નથી. (૪૧૪)
सर्वपुद्गलपर्यायादहं भिन्नोऽस्मि निश्चयात् । पुद्गलेषु सुखं नाऽस्ति सुखं ब्रह्मणि शाश्वतम् ॥ ४१५॥
નિશ્ચયથી હું સર્વ પુદ્ગલ પર્યાયથી ભિન્ન છું. પુદ્ગલોમાં સુખ નથી પણ બ્રહ્મમાં અર્થાત શુદ્ધ આત્મામાં શાશ્વત સુખ છે. (૪૧૫)
૮૩
For Private And Personal Use Only