________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
बाह्यजीवननिर्बन्धा बाह्यतो जीविनोऽपि ते । साक्षिभावेन सर्वत्र ब्रह्मजीवनजीविनः ॥ ४०६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાહ્ય જીવનનાં બંધનોથી રહિત બહારથી જીવનારા હોવા છતાં તેઓ સર્વત્ર સાક્ષીભાવથી બ્રહ્મ જીવન જીવનારા છે. (૪૦૬)
प्रवृत्तिषु निवृत्तिषु वर्त्तनं वा निवर्त्तनम् । तत्र स्वतन्त्रबुद्ध्या ते वर्तिनश्च निवर्तिनः ॥ ४०७ ॥
પ્રવૃત્તિઓમાં વર્તન અથવા નિવૃત્તિઓના નિવર્તનમાં તેઓ સ્વતન્ત્રબુદ્ધિથી વર્તનારા અને નિવર્તનારા હોય છે. (૪૦૭)
आत्मोपयोगिनां सर्वं जगदात्मिकशुद्धये । आत्मोन्नतिक्रमार्थञ्च स्यादन्तस्त उपाधिषु ॥ ४०८ ॥
આત્મોપયોગવાળાઓને બધું જગત આત્મિક શુદ્ધિને માટે થાય છે અને આત્મોન્નતિના ક્રમને માટે તેઓ ઉપાધિઓમાં અંતમુર્ખ છે.(૪૦૮)
अशातायां च शातायां वने गृहे च सागरे ।
आत्मनः परिणामाय सर्वं स्यादुपयोगिनाम् ॥ ४०९ ॥ ઉપયોગવાળાઓને અશાતામાં અને શાતામાં, વનમાં, ઘરમાં અને સાગરમાં બધું આત્માના પરિણામ માટે થાય છે. (૪૯)
सात्त्विकाचारवृत्तौ च सात्त्विकसद्गुणेष्वपि । नाऽभिमानश्च यच्चित्ते प्रवृत्तौ चोपयोगवान् ॥ ४१० ॥
સાત્ત્વિક આચાર વૃત્તિમાં અને સાત્ત્વિક સદ્ગુણોમાં પણ જેનાં ચિત્તમાં અને પ્રવૃત્તિમાં અભિમાન નથી, તે ઉપયોગવાળો છે. (૪૧૦)
૮૨
For Private And Personal Use Only