________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनोवाक्कायगुप्तीनां धारका दोषवारकाः । समितिवाहकाः सन्तः स्वतन्त्रा धर्मचक्रिणः ॥ ४०१ ॥
મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિને ધારણ કરનારા, દોષોને દૂર કરનારા તથા સમિતિઓનું પાલન કરનારા સત્પુરુષો સ્વતન્ત્ર ધર્મચક્રવર્તીઓ છે. (૪૦૧)
योग्याचारेण जीवन्तो योग्याहारविहारिणः ।
आत्माधीनाश्च सर्वत्र स्वात्मोपयोगजीविनः ॥ ४०२ ॥
યોગ્ય આચારથી જીવતાં, યોગ્ય આહાર-વિહારવાળા અને આત્માને અધીન એવા પુરુષો સર્વત્ર પોતાના આત્મોપયોગ વડે જીવનારા હોય છે. (૪૦૨)
विवेकेन प्रवृत्ता ये आजीविकादिकर्मसु । बाह्यजीवनसापेक्षसर्वाचारविचारिणः ॥ ४०३ ॥
જેઓ આજીવિકા વગેરે કાર્યોમાં વિવેકપૂર્વક પ્રવૃત્ત થયેલા છે, તેઓ બાહ્ય જીવન સાપેક્ષ બધા આચાર તથા વિચારવાળા હોય છે. (૪૦૩)
मैत्रीभावेन वर्तन्ते माध्यस्थभावधारकाः । प्रमोदभावसम्पन्नाः कारुण्यभाववाहकाः ॥ ४०४ ॥
તેઓ મૈત્રીભાવથી વર્તે છે, પ્રમોદભાવથી સંપન્ન છે, કારુણ્યભાવને વહન કરનારા છે તથા માધ્યસ્થભાવને ધારણ કરનારા હોય છે. (૪૦૪)
सूपयोगं प्रकुर्वन्तो मनोवाक्कायकर्मणाम् । आत्मानन्दरसोन्मत्ताः प्रभोर्जीवनजीविनः ॥ ४०५ ॥
મન,વચન અને કાયાનાં કર્મોનો સારો ઉપયોગ કરનારા તથા આત્માનંદરૂપી રસથી મત્ત બનેલા પ્રભુ જીવન જીવનારા છે. (૪૦૫)
૮૧
For Private And Personal Use Only