________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मानन्दस्य वाञ्छा चेत् कामवृत्तिं निवारय । यत्र कामो न तत्राऽस्ति स्वात्मारामो प्रवेदय ॥ ४२१ ॥
જો આત્માના આનંદની ઈચ્છા હોય તો કામવૃત્તિને દૂર કર. જ્યાં કામ હોય, ત્યાં સ્વાત્મારામ હોતો નથી, એમ તું જાણ. (૪૨૧)
यावत्कामविकाराणां पूर्णक्षयो न जायते । तावत् स्त्रीस्पर्शरूपेभ्यो दूरस्थेयं सुयोगिभिः ॥४२२॥
જયાં સુધી કામવિકારોનો પૂર્ણ ક્ષય ન થાય, ત્યાં સુધી સારા યોગીઓએ સ્ત્રીનાં સ્પર્શ અને રુપથી દૂર રહેવું જોઈએ. (૪૨૨)
पौद्गलानन्दवन्तः स्युर्गृहस्था मुख्यभावतः । आत्मानन्दस्य लाभार्थं सम्यग्दृष्ट्या प्रवर्तकाः ॥ ४२३ ॥
ગૃહસ્થો મુખ્યત્વે પુદ્ગલોમાં આનંદ માનનારા હોય છે. આત્માના આનંદના લાભ માટે તેઓ સમ્યગ્દષ્ટિવડે પ્રવર્તનારા હોય છે. (૪૨૩)
अविरता गृहस्थाः स्युः सम्यग्दृष्टिप्रधारकाः। व्रताद्यैर्विरता जैनाः शुद्धसम्यक्त्वशालिनः ॥ ४२४ ॥
વિરતિ વિનાના ગૃહસ્થો સમ્યગ્દષ્ટિ ધારણ કરનારા હોય છે અને શુદ્ધ સમ્યકત્વવાળા વ્રત વગેરેથી દેશ વિરતિવાળા જૈનો હોય છે. (૪૨૪)
सर्वकर्मक्षयार्थं ते गृहस्थधर्मपालकाः। पौद्गलानन्दभोक्तारो हृदि ब्रह्मसुखार्थिनः ॥ ४२५ ॥
તેઓ સર્વકર્મોનો ક્ષય કરવા માટે ગૃહસ્થ ધર્મનું પાલન કરનારા, પુદ્ગલોના આનંદને ભોગવનારા અને દયમાં બ્રહ્મસુખના અર્થી હોય છે. (૪૨૫).
૮૫
For Private And Personal Use Only