________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
क्रियमाणेषु कार्येषु प्रतिक्षणं प्रभोः स्मृतिः । सोपयोगोऽस्ति विज्ञेयस्ततो मोहो न जायते ॥ ३५१॥
કરાતાં કાર્યોમાં પ્રતિક્ષણે પ્રભુની સ્મૃતિ, તે ઉપયોગ છે. જે જાણવા યોગ્ય છે. તેથી મોહ ઉત્પન્ન થતો નથી. (૩૫૧)
धर्म्ययुद्धादिकार्येषु प्रवृत्ताः स्वाधिकारतः । शुद्धोपयोगिनो भव्याः कुर्वन्ति कर्मनिर्जराम् ॥ ३५२ ॥
ધર્મયુદ્ધો વગેરે કાર્યોમાં પોતાના અધિકારથી પ્રવૃત્ત થયેલા શુદ્ધોપયોગવાળા ભવ્યજીવો કર્મોની નિર્જરા કરે છે. (૩૫૨)
त्यागिनश्च गृहस्था ये स्वाधिकारप्रवर्तकाः । शुद्धोपयोगतो मुक्तिं यान्ति तत्र न संशयः ॥३५३ ॥
ત્યાગીઓ અને ગૃહસ્થો જેઓ પોતાના અધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કરનારા છે, તેઓ શુદ્ધોપયોગથી મુક્તિ પામે છે – તેમાં સંશય નથી. (૩૫૩)
क्षणमात्रमपि प्राप्त उपयोगं य एकशः। मुक्तिमवश्यं सो याति सम्यग्दृष्टिः स्वभावतः ॥३५४ ॥
જે એક વાર ક્ષણ માત્ર પણ ઉપયોગ પામેલો છે, તે સમ્યગ્દષ્ટિ સ્વભાવથી અવશ્ય મુક્તિ પામે છે. (૩૫૪)
परस्परविरुद्धानां वेषाचारादिकर्मणाम् । सापेक्षया निमित्तत्वमात्मोपयोगिनां भवेत् ॥ ३५५ ॥
પરસ્પર વિરુદ્ધ એવા વેષ, આચાર વગેરે કર્મોનું આત્મોપયોગીઓને અપેક્ષાએ નિમિત્તપણે થાય છે. (૩૫૫)
•૭૧
For Private And Personal Use Only