________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
औत्सर्गिकापवादाभ्यां क्रियमाणेषु कर्मसु । प्रभोः स्मृतिप्रवाहो य उपयोगः स इष्यते ॥ ३४६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્સર્ગ અને અપવાદથી કરાતાં કર્મોમાં પ્રભુની સ્મૃતિનો જે પ્રવાહ તે ઉપયોગ કહેવાય છે. (૩૪૬)
शुद्धात्मसंस्मृतेर्धारा वर्तते या प्रतिक्षणम् । शुद्धोपयोग इष्यः स आत्मशुद्धिप्रदो महान् ॥ ३४७ ॥
શુદ્ધાત્માની સંસ્કૃતિની ધારા જે પ્રતિક્ષણ વર્તે છે, તે શુદ્ધોપયોગ ઈચ્છવા યોગ્ય છે. તે મહાન છે અને આત્માની શુદ્ધિને આપનારો છે. (૩૪૭)
सर्वकर्मविनाशार्थं पूर्णशुद्धात्मसंस्मृतिः ।
धार्या प्रतिक्षणं कर्मकुर्वद्भिः कर्मयोगिभिः ॥ ३४८ ॥
શુભ કાર્ય કરતા કર્મયોગીઓએ સર્વ કર્મોના વિનાશને માટે પૂર્ણ શુદ્ધ આત્માની સંસ્કૃતિ પ્રતિક્ષણે ધારણ કરવી જોઈએ. (૩૪૮)
शुद्धात्म श्रीमहावीरस्मृतिर्भृशं सुरागतः ।
उपयोगः प्रविज्ञेयो हृदि धार्यो विवेकिभिः ॥ ३४९ ॥
અત્યંત સારા રાગથી કરાતી શુદ્ધાત્મ શ્રીમહાવીરની સ્મૃતિ તે ઉપયોગ જાણવો. વિવેકીઓ વડે હ્દયમાં ધારણ કરવા યોગ્ય છે. (૩૪૯)
आत्माऽहं सच्चिदानन्दो गुणपर्यायभाजनम् ।
इत्येवं या स्मृतिः सैव शुद्धोपयोग इष्यते ॥ ३५० ॥
‘હું સચ્ચિદાનંદરુપ અને ગુણ તથા પર્યાયના ભાજનરુપ આત્મા છું.’ એવી સ્મૃતિ તે જ શુદ્ધોપયોગ કહેવાય છે. (૩૫૦)
90
For Private And Personal Use Only