________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
अन्तर्मुहूर्तकालीनशुद्धोपयोगशक्तितः । जायते केवलज्ञानमात्मनि सत्यनिश्चयः ॥ ३४१ ॥
અન્ત મુહૂર્તકાળના શુદ્ધોપયોગની શક્તિથી આત્મામાં કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે, એ સત્ય નિશ્ચય છે. (૩૪૧)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समः सर्वत उत्कृष्टः शुद्धोपयोग इष्यते । बहिरन्तः परब्रह्म भासते ब्रह्मयोगिनाम् ॥ ३४२ ॥
સર્વ પ્રકારે ઉત્કૃષ્ટ સમભાવ એ શુદ્ધોપયોગ કહેવાય છે. તેનાથી બ્રહ્મયોગીઓને બહાર અને અંદર પરબ્રહ્મ ભાસે છે. (૩૪૨)
'
मनोवाक्काययोगानां व्यापारकारकाश्च ते । प्रारब्धाघातिकर्माणः सर्वत्र समसाक्षिणः ॥ ३४३ ॥
પ્રારબ્ધ અધાતિકર્મોવાળા અને મન-વચન-કાયાના યોગોની પ્રવૃત્તિ કરનારા તેઓ સર્વત્ર સમભાવવાળા અને સાક્ષીભાવવાળા હોય છે. (૩૪૩)
असंख्यभेदतो ज्ञेयः क्षयोपशमभाववान् । शुद्धोपयोग आत्मैव भव्यजीवेषु सम्प्रति ॥ ३४४ ॥
હાલમાં ભવ્યજીવોમાં ક્ષયોપશમભાવવાળો જ આત્મા હોવાથી શુદ્ધોપયોગ અસંખ્ય ભેદથી જાણવો. (૩૪૪)
ज्ञानदर्शनचारित्रपरीणाममयः शुभः ।
क्षायोपशमिको व्यक्तः शुद्धयोगोऽप्रमादिनाम् ॥ ३४५ ॥
જ્ઞાન, દર્શન અને ચારિત્રના પરિણામવાળો કલ્યાણકારી તથા સાયોપશમિકભાવવાળો સ્પષ્ટ શુદ્ધયોગ અપ્રમાદીઓને અર્થાત્ અપ્રમત્ત વિરતિ ધારણ કરનારા સાધુઓને હોય છે. (૩૪૫)
૬૯
For Private And Personal Use Only