________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
साम्योपयोगमालम्ब्य याता यास्यन्ति यान्ति च । अनन्तदेहिनो मुक्तिं तत्र कश्चिन्न संशयः ॥ ३३६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામ્યોપયોગનું આલંબન લઈને અનંત દેહધારીઓ મુક્તિ પામ્યા છે, પામે છે અને પામશે - તેમાં કોઈ સંશય નથી. (૩૩૬)
सेवाभक्त्यादियोगेभ्यः श्रेष्ठोऽनन्तगुणो महान् । समो योगः स्वभावेन समासेव्यो महात्मभिः ॥ ३३७ ॥
સેવા - ભક્તિ વગેરે યોગોથી અનંતગણો શ્રેષ્ઠ અને મહાન સમયોગ અર્થાત્ સામ્યયોગ સ્વભાવથી મહાત્માઓએ સારી રીતે સેવવા યોગ્ય છે. (૩૩૭)
समो यः सर्वभूतेषु सर्वजातीयधर्मेषु ।
समो यः शत्रुमित्रेषु शुभाशुभेषु कर्मसु ॥ ३३८ ॥
જે સર્વ જીવો પ્રત્યે સમ છે. સર્વ જાતીય ધર્મો પ્રત્યે સમ છે. જે શત્રુઓ અને મિત્રો પ્રત્યે સમ છે તથા જે શુભ અને અશુભ કર્મોમાં સમ છે. (૩૩૮)
शुभाशुभविपाकेषु यः समः साक्षितभाववान् । क्षणमात्रमपि व्यक्तः स्यात् सः शुद्धोपयोगवान् ॥ ३३९॥
જે શુભ અને અશુભ વિપાકમાં સમ છે, તે સાક્ષીભાવવાળો ક્ષણમાત્ર પણ વ્યક્ત શુદ્ધોપયોગવાળો થાય છે. (૩૩૯)
एकक्षणिकशुद्धो य उपयोगो यदा भवेत् । तदाऽनन्तभवैर्बद्धं कर्म नश्यति तत्क्षणात् ॥ ३४० ॥
જે ઉપયોગ એક ક્ષણવાર જ્યારે શુદ્ધ થાય છે, ત્યારે અનંત ભવો વડે બાંધેલું કર્મ તત્ક્ષણ નાશ પામે છે. (૩૪૦)
૬૮
For Private And Personal Use Only