________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अध्यात्मपरिभाषायां रागद्वेषमयं मनः।। कथ्यतेऽध्यात्मसामान्यज्ञानिभिर्व्यवहारतः ॥३२१ ॥
અધ્યાત્મના સામાન્ય જ્ઞાનીઓ વડે અધ્યાત્મની પરિભાષામાં મન વ્યવહારથી રાગદ્વેષમય કહેવાય છે. (૩૨૧)
सर्वज्ञैर्द्रव्यभावाभ्यां प्रज्ञप्तं द्विविधं मनः । पौद्गलिकं मनो द्रव्यं संज्ञिनां वर्तते ध्रुवम् ॥ ३२२ ॥
સર્વજ્ઞોએ દ્રવ્ય અને ભાવથી મન બે પ્રકારનું કહ્યું છે. દ્રવ્ય મન પૌગલિક છે. તે સંજ્ઞી જીવોને અવશ્ય હોય છે. (૩૨૨)
मतिश्रुतविचाराणां मनस्त्वं भावतः स्मृतम् । द्विविधं तु मनो ज्ञेयं तत्त्वज्ञानविवेकतः ॥३२३ ॥
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના વિચારોનું મનપણું ભાવથી માન્યું છે. આ રીતે તત્ત્વજ્ઞાનના વિવેકથી તો મન બે પ્રકારનું જાણવું જોઈએ. (૩૨૩)
शुद्धप्रेमपरीणामसाम्यज्ञानसुभक्तितः। सर्वदर्शनलोकानां मुक्तिरात्मनि निश्चिता ॥३२४ ॥
શુદ્ધ પ્રેમના પરિણામ, સામ્યજ્ઞાન અને સારી ભક્તિથી સર્વ દર્શનના લોકોની મુક્તિ આત્મામાં નિશ્ચિત છે. (૩૨૪)
सर्वदेहस्थजीवानामात्मवदर्शनं यदा । वर्तनं च भवेत्सत्यं तदा मुक्तिस्तनो स्थिते ॥ ३२५ ॥
દેહમાં રહેલા બધા જીવોનું જ્યારે આત્મવત્ દર્શન થાય છે અને તેઓ પ્રત્યે આત્મવત્ વર્તન થાય છે, ત્યારે શરીરમાં રહેવા છતાં મુક્તિ પ્રાપ્ત થાય છે. (૩૨૫).
૬૫
For Private And Personal Use Only