________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
रागद्वेषमयैः सर्वैर्मनोवृत्त्युद्भवैर्मतैः । व्याप्तं जगदतो ज्ञानी सापेक्षदृष्टिधारकः ॥३१६ ॥
રાગ અને દ્રષવાળી મનોવૃત્તિથી ઉદ્ભવેલા બધા મતોથી જગત વ્યાપ્ત છે. તેથી જ્ઞાની સાપેક્ષ દૃષ્ટિને ધારણ કરનારો હોય છે. (૩૧૬)
मनोमतैर्विभिन्नाः स्युरात्मशुद्धोपयोगिनः ।
आत्मज्ञाननयैः सर्वैर्मनोमतविचारिणः ॥३१७ ॥ - આત્મશુદ્ધોપયોગવાળાઓ મનના સર્વ મતોથી વિભિન્ન હોય છે, છતાં પણ તેઓ આત્મજ્ઞાનના સર્વ નયો વડે મનના ભિન્ન ભિન્ન મતોનો વિચાર કરનારા હોય છે. (૩૧૭)
मनोमतोद्भवाः सर्वे धर्माः स्युरात्मवेदिनाम् । सापेक्षदृष्टितः सत्यधर्माय साम्ययोगिनाम् ॥ ३१८ ॥
આત્માને જાણનારાઓના મનના મતોથી ઉત્પન્ન થયેલા બધા ધર્મો સામ્યયોગીઓને સાપેક્ષ દૃષ્ટિથી સાચા ધર્મને માટે થાય છે. (૩૧૮)
मनोमतविभिन्नानां नृणामसंख्यधर्मिणाम् । आत्मधर्मस्य लाभार्थं देयं स्याद्वादशिक्षणम् ॥ ३१९ ॥
મનના મતોથી ભિન્ન ભિન્ન એવા અસંખ્ય ધર્મોવાળા મનુષ્યોને આત્મધર્મના લાભને માટે સ્યાદ્વાદનું શિક્ષણ આપવું જોઈએ. (૩૧૯)
रागद्वेषक्षयेनैव शुद्धज्ञानं प्रकाशते । शुद्धात्मज्ञानतः सम्यक् सत्यतत्त्वं प्रकाशते ॥ ३२० ॥
રાગ અને દ્વેષના ક્ષયથી જ શુદ્ધ જ્ઞાન પ્રકાશે છે અને શુદ્ધ એવા આત્મજ્ઞાનથી જ સાચું તત્ત્વ બરાબર પ્રકાશે છે. (૩૨)
૬૪
For Private And Personal Use Only