________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
धर्मजातिक्रियावर्णदेशभेदाद्युपाधितः । निर्मोहत्वं समाश्रित्य प्रवर्तन्ते मुनीश्वराः ॥ ३०६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ, જાતિ, ક્રિયા, વર્ણ અને દેશના ભેદ વગેરેની ઉપાધિથી નિર્મોહીપણાનો આશ્રય કરીને મુનીશ્વરો પ્રવર્તે છે. (૩૦૬)
अन्धश्रद्धात्वयातानां विरूद्धभिन्नधर्मिणाम् । उपकाराय वर्तन्ते जैनाः शुद्धोपयोगिनः ॥ ३०७ ॥
શુદ્ધોપયોગવાળા જૈનો અંધશ્રદ્ધા પામેલા વિરુદ્ધ અને ભિન્ન ધર્મવાળાઓના ઉપકારને માટે વર્તે છે. (૩૦૭)
स्वोपयोगेन धर्मोऽस्ति बन्धोऽस्ति मोहभावतः । कर्मबन्धः कषायेण मुक्तिः साम्येन देहिनाम् ॥ ३०८ ॥
પોતાના આત્મામાં ઉપયોગથી ધર્મ થાય છે. મોહભાવથી બંધ થાય છે. દેહધારીઓને કષાયથી કર્મબંધ અને સામ્યથી મુક્તિ પ્રાપ્ત થાય છે. (૩૦૮)
रागद्वेषपरीणाम एव संसारकारणम् ।
रागद्वेषारिहन्तृणां मोक्ष एव करस्थितः ॥ ३०९ ॥
રાગ અને દ્વેષના પરિણામ જ સંસારનું કારણ છે. રાગ અને દ્વેષ રુપી શત્રુઓને હણનારાઓના જ હાથમાં મોક્ષ રહેલો છે. (૩૦૯)
आत्मशुद्धिर्भवेन्नैव रागद्वेषक्षयं विना ।
ईश्वरः स परब्रह्म रागद्वेषक्षयङ्करः ॥ ३१० ॥
રાગ અને દ્વેષના ક્ષય વિના આત્માની શુદ્ધિ થતી જ નથી. રાગ અને દ્વેષનો ક્ષય કરનાર તે ઈશ્વર છે, પરબ્રહ્મ છે. (૩૧૦)
૬૨
For Private And Personal Use Only