________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मोपयोगिनां किञ्चित् कर्तव्यं नाऽवतिष्ठते । मुक्त्यर्थं च तथा कर्म कुर्वन्ति व्यवहारतः ॥३०१ ।।
આત્મોપયોગવાળાઓને મુક્તિ માટે કંઈ કરવાનું બાકી રહેતું નથી અને તેમ છતાં વ્યવહારથી તેઓ કર્મ કરે છે. (૩૦૧)
मनोवाक्काययोगानामुपयोगं सुयोगिनः । उपकाराय कुर्वन्ति शुद्धोपयोगजीविनः ॥३०२॥
શુદ્ધોપયોગથી જીવનારા સારા યોગીઓ મન, વચન અને કાયાના યોગોનો ઉપયોગ બીજાનું ભલું કરવા માટે કરે છે. (૩૦૨)
उपग्रहोऽस्ति सर्वत्र जीवानां च परस्परम् । उपग्रहप्रवृत्तिस्तु जीवन्मुक्तसयोगिनाम् ॥ ३०३ ॥
સર્વત્ર જીવોનો પરસ્પર ઉપગ્રહ – ઉપકાર પ્રવૃત્તિ હોય છે અને જીવન્મુક્ત સયોગીઓને તો ઉપગ્રહની પ્રવૃત્તિ હોય છે. (૩૦૩)
सत्कर्म देहपर्यन्तं कुर्वन्ति वीतरागिणः। अत आदेहमर्हन्तो विश्वजीवोपकारिणः ॥३०४ ॥
વીતરાગીઓ દેહ હોય ત્યાં સુધી સત્કર્મ કરે છે. માટે શ્રી અરિહંતદેવો દેહ હોય ત્યાં સુધી સર્વ જીવો પર ઉપકાર કરનારા છે. (૩૦૪)
अर्हतां मार्गमालम्ब्य संप्रति ज्ञानयोगिनः । यद्योग्यं तत्प्रकुर्वन्ति कर्म स्वपरशर्मदम् ॥३०५ ॥
અરિહંતોના માર્ગનું આલંબન લઈને હાલમાં જ્ઞાનયોગીઓ સ્વ અને પરને સુખ આપનારું જે યોગ્ય હોય, તે કર્મ કરે છે. (૩૦૫)
૬૧
For Private And Personal Use Only