________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
द्वेषरागादिभिर्मुक्ताः शुद्धात्मानो महर्षयः । वीतरागा जिनाः शुद्धा ईश्वरा देहसंस्थिताः ॥ २८६ ॥
રાગ-દ્વેષ વગેરેથી મુક્ત થયેલા શુદ્ધાત્મ મહર્ષિઓ દેહસ્થ વીતરાગ, જિન અને શુદ્ધ ઈશ્વરો છે. (૨૮૬)
सत्त्वप्रकृतिसंयुक्ता ईश्वरा ब्रह्मरूपिणः । एतैः प्रबोधितो धर्मो जैनधर्मोऽस्ति शाश्वतः ॥ २८७ ॥
સત્ત્વ પ્રકૃતિથી સંયુક્ત ઈશ્વરો બ્રહ્મરુપવાળા છે. એમનાથી પ્રબોધિત ધર્મ જૈનધર્મ છે, જે શાશ્વત સદા કાલ ટકનારો છે. (૨૮૭)
सर्वज्ञा वीतरागा ये तैर्हि विश्वस्थदेहिनाम् । मुक्यर्थं स्थापितो धर्मो जैनधर्मः स उच्यते ॥ २८८ ॥
જેઓ ખરેખર સર્વજ્ઞ વીતરાગ છે, તેઓ વડે સંસારમાં રહેલા દહેધારી જીવોની મુક્તિને માટે સ્થપાયેલો ધર્મ, તે જૈનધર્મ કહેવાય છે. (ર૮૮)
त्यागिनां च गृहस्थानां स्वाधिकाराद् द्विधा शुभः । गृहस्थैस्त्यागिभिः सेव्यो जैनधर्मः स्वमुक्तये ॥ २८९ ॥
ત્યાગીઓના અને ગૃહસ્થોના પોતાના અધિકારથી બે પ્રકારનો શુભ જૈનધર્મ પોતાની મુક્તિને માટે ત્યાગીઓ વડે અને ગૃહસ્થો વડે સેવવા યોગ્ય છે. (૨૮૯)
अन्यधर्मेषु सत्यं यत् सापेक्षनयबोधतः। तत् सापेक्षतया ग्राह्यं गीतार्थगुरुनिश्रया ॥२९० ॥
અન્ય ધર્મોમાં જે સત્ય છે, તે સાપેક્ષ નયના જ્ઞાન વડે ગીતાર્થ ગુરુની નિશ્રાથી સાપેક્ષ રીતે ગ્રહણ કરવા યોગ્ય છે. (૨૯૦)
૫૮
For Private And Personal Use Only