________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
शुद्धोपयोगिनां सर्वं जगत् सम्यग्दृशां सदा । आत्मानन्दस्य हेत्वर्थं सर्वं सम्यक्तया स्थितम् ॥ २९१ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધોપયોગવાળા સમ્યગ્દષ્ટિઓને આખું જગત સદા આત્માનંદના હેતુ માટે છે. કારણકે સઘળું તેમને માટે સમ્યપણે રહેલું છે. (૨૯૧)
निश्चयाद् व्यवहाराद्यो जैनधर्मो द्विधा सदा । व्यवहारो न मोक्तव्यो निश्चयदृष्टिधारिभिः ॥ २९२ ॥
જૈનધર્મ, જે હંમેશાં નિશ્ચયથી અને વ્યવહારથી એમ બે પ્રકારનો છે. તેથી નિશ્ચયદૃષ્ટિને ધારણ કરનારાઓએ વ્યવહાર છોડવા યોગ્ય નથી. (૨૯૨)
व्यवहारनयोच्छेदाज्जैनधर्मक्षयो भवेत् ।
संघतीर्थक्षयश्चेति सर्वार्हद्भिः प्रभाषितम् ॥ २९३ ॥
વ્યવહાર નયના ઉચ્છેદથી જૈનધર્મનો ક્ષય થાય છે. સંઘ અને તીર્થનો ક્ષય થાય છે – એમ સર્વ અરિહંતોએ કહ્યું છે. (૨૯૩)
शुद्धोपयोगलाभार्थं व्यवहारस्य हेतुता ।
आत्मनो निश्चयो धर्मः शुद्धोपयोग आत्मनि ॥ २९४ ॥
શુદ્ધોપયોગના લાભને માટે વ્યવહારનું હેતુપણું છે. આત્માનો નિશ્ચય ધર્મ શુદ્ધોપયોગ આત્મામાં છે. (૨૯૪)
आत्मन्येवाऽऽत्मनो धर्मः शुद्धोपयोग इष्यते । शुद्धोपयोगिनां सर्वं विश्वमानन्दहेतवे ॥ २९५ ॥
આત્મામાં જ રહેલા આત્માનો ધર્મ શુદ્ધોપયોગ કહેવાય છે.. શુદ્ધોપયોગવાળાઓને આખું વિશ્વ આનંદના હેતુ માટે થાય છે. (૨૯૫)
૫૯
For Private And Personal Use Only