________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मशर्मनिमग्नानां वेषाचारमतादिषु । बन्धनं नैव चोन्मत्त इव सर्वत्र वर्तनम् ॥ २८१ ।।
આત્માના સુખમાં મગ્ન થયેલાઓને વેષ, આચાર, મત વગેરેનું બંધન હોતું જ નથી અને તેઓનું વર્તન સર્વત્ર ઉન્મત્ત જેવું હોય છે. (૨૮૧)
केषांचित्तु भवेदेवं नानाशुद्धोपयोगिनाम् ।
जानाति ज्ञानिनं ज्ञानी गुप्तं व्यक्तस्वबोधतः ॥२८२ ॥ - કેટલાક વિવિધ પ્રકારના શુદ્ધોપયોગવાળાઓને એ પ્રમાણે થાય છે કે, જ્ઞાની સ્પષ્ટ એવા પોતાના જ્ઞાનથી ગુપ્ત જ્ઞાનીને જાણે છે પણ સામાન્ય લોકો તેને ઓળખી શકતા નથી. (૨૮૨)
लोकाचारविचारेण विरुद्धा इव वर्तिनः । ब्रह्ममग्ना महासन्तो ज्ञायन्ते ब्रह्मदर्शिभिः ॥ २८३ ॥
લોકોના આચાર અને વિચારથી વિરુદ્ધોની જેમ વર્તન કરનારા બ્રહ્મમગ્ન મહાસંતો બ્રહ્મને જાણનારાઓ વડે ઓળખી શકાય છે. (૨૮૩)
बाह्यवेषादिभिः सन्तो ज्ञायन्ते न कदाचन । उन्मत्ता आत्ममग्नास्ते ज्ञायन्ते च स्वबोधतः ॥ २८४ ॥
સંતો ક્યારેય બાહ્ય વેષ વગેરેથી ઓળખાતા નથી. ઉન્મત્ત અને આત્મામાં મગ્ન એવા તેઓ પોતાના જ્ઞાનથી ઓળખાય છે. (૨૮૪)
आत्मोन्मत्तावधूतानां हृदि शुद्धेश्वरो महान् । आविर्भूतोऽस्ति विज्ञाय तेषां भक्तो रतो भव ॥२८५ ॥
આત્મોન્મત્ત એવા અવધૂતોના હૃદયમાં મહાન શુદ્ધ ઈશ્વર આવિર્ભાવ પામેલો હોય છે, એમ જાણીને તું તેઓની ભક્તિમાં રત થા. (૨૮૫)
૫૭
For Private And Personal Use Only