________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुखत्वं न जडेष्वेव तेभ्यः शर्म कथं भवेत् । आत्मोपयोगतो ज्ञात्वा ज्ञानी तत्र न मुह्यति ॥ २७६ ॥
સુખપણે જડ પદાર્થોમાં નથી જ. તેમનાથી સુખ કેમ થાય? એ પ્રમાણે આત્મોપયોગથી જાણીને જ્ઞાની જડ પદાર્થોમાં મોહ પામતો નથી. (૨૭૬)
आत्मायत्तं मनः स्याच्चेदिन्द्रियाणि तथाऽऽत्मनः । वश्यानि तर्हि साधूनामत्रैव मुक्तिसिद्धयः ॥ २७७ ॥
જિોઆત્માને અધીન મન થાય તથા ઈન્દ્રિયો આત્માને વશ હોય, તો તે સમયે સાધુઓને અહીં જ મુક્તિની સિદ્ધિઓ અનુભવાય છે. (૨૭૭)
रागद्वेषविनिर्मुक्तं सर्वसंकल्पवर्जितम्। आत्मायत्तं मनः स्याच्चेन्मुक्तिरत्रानुभूयते ॥२७८ ॥
રાગ અને દ્વેષથી વિશેષ કરીને મુક્ત અને સર્વ સંકલ્પો વિનાનું મન જો આત્માને અધીન થાય તો મુક્તિ અહીં અનુભવાય છે. (ર૭૮)
अहं त्वं तद्विनिर्मुक्तं लिङ्गाध्यासविवर्जितम् । मनः शुद्धोपयोगेन भवेत् तत्र न संशयः ॥२७९ ॥
મન શુદ્ધોપયોગથી ‘હું, “તું', અને તેથી વિશેષે કરીને મુક્ત થાય છે અને લિંગના અધ્યાસ વિનાનું બને છે તેમાં સંશય નથી. (૨૭૯)
लोकसंज्ञादिभिर्मुक्ता अवधूताः सुखैषिणः। उन्मत्ता इव संसारे वर्तन्ते ब्रह्मदर्शिनः ॥२८० ॥
લોક સંજ્ઞા વગેરેથી મુક્ત, બ્રહ્મ સુખને ઈચ્છનારા તથા બ્રહ્મને જાણનારા અવધૂતો સંસારમાં ઉન્મત્તાની જેમ વર્તે છે. (૨૮૦)
૫૬
For Private And Personal Use Only