________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
सत्त्वरजस्तमेोजन्यं सुखं तु नैव तात्त्विकम् । सत्त्वादिप्रकृतेर्भिन्नमात्मसुखं प्रवेदय । २७१ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્ત્વ, રજસ અને તમસથી ઉત્પન્ન થયેલું સુખ તો તાત્ત્વિક નથી જ, માટે સત્ત્વ વગેરે પ્રકૃત્તિથી ભિન્ન એવા આત્મસુખને તું સારી રીતે (૨૭૧)
જાણ.
शुभाशुभमनोवृत्तिलयेनैव प्रकाश्यते ।
निर्विकल्पं सुखं सत्यमात्मनः स्वनुभूयते ॥ २७२ ॥
શુભ અને અશુભ મનોવૃત્તિના લયથી જ આત્માનું નિર્વિકલ્પ સાચું સુખ પ્રકાશિત કરાય છે અને તે સારી રીતે અનુભવાય છે. (૨૭૨)
अन्तर्बहिश्च सर्वत्र सुखमात्मोपयोगिनाम् ।
सर्वथा सर्वदा नित्यमस्ति भोगाप्तिमन्तरा ॥ २७३ ॥
આત્મોપયોગવાળાઓને ભોગોની પ્રાપ્તિ વિના પણ અંદર અને બહાર સર્વત્ર, સર્વથા, સર્વદા નિત્ય સુખ હોય છે. (૨૭૩)
कामभोगादितो जातं सुखं स्वप्नोपमं मतम् । तत्र न मुह्यति ज्ञानी शुद्धोपयोगशक्तितः ॥ २७४ ॥ કામભોગ વગેરેથી ઉત્પન્ન થયેલું સુખ સ્વપ્ન જેવું મનાયું છે. જ્ઞાની શુદ્ધોપયોગની શક્તિથી તેમાં મોહ પામતો નથી. (૨૭૪)
काम्यस्पर्शेषु मा मुह्य स्त्र्यादिरूपेषु मुह्य मा । जडत्वं स्पर्शरूपेषु तेभ्यः शर्म न जायते ॥ २७५ ॥
તું ઈચ્છા કરવા યોગ્ય સ્પર્શોમાં મોહ પામ નહીં. સ્ત્રી વગેરેનાં રુપોમાં મોહ પામ નહીં. સ્પર્શો અને રુપોમાં જડપણું છે. તેમનાથી સુખ પેદા થતું નથી. (૨૭૫)
૫૫
For Private And Personal Use Only