________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जडानन्दाप्तये यद्यत् कल्प्यते तत्तु दुःखकृत् । जायतेऽनुभवं प्राप्य तत्र किं परिमुह्यसि ॥ २६६ ॥
જડ પદાર્થોમાંથી આનંદની પ્રાપ્તિ માટે જે જે કરાય છે, તે તે દુઃખ કરનાર થાય છે, એવો અનુભવ પ્રાપ્ત કરીને તું શા માટે તેમાં મોહ પામે છે? (૨૬૬)
यशः सन्मानकीर्त्यर्थं नामरूपप्रमोहतः । कृतं यत्तन्न शान्त्यर्थं स्यात्प्रत्युत च दुःखकृत् ॥ २६७ ॥
નામ અને રુપના મોહથી યશ, સન્માન અને કીર્તિને માટે જે કર્યું, તે શાંતિને માટે થતું નથી અને ઊલટું તે દુઃખકર થાય છે. (૨૬૭)
बाह्यानन्दाय यद्यच्च क्रियते तत्तु दुःखकृत् । जायते मोहिनां नृणां न च ब्रह्मसुखैषिणाम् ।। २६८ ॥
બાહ્ય આનંદને માટે જે જે કરાય છે, તે તે મોહવાળા મનુષ્યોને દુઃખકર થાય છે અને બ્રહ્મસુખના ઈચ્છનારાઓને તેમ થતું નથી. (૨૬૮)
कोटिकोटीमहोपायैर्नित्यानन्दो न बाह्यतः । आत्मन्येव सुखं सत्यं बाह्ये त्वं मा परिभ्रमः ॥२६९ ॥
કોટિ કોટિ મહાન ઉપાયોથી પણ નિત્યાનંદ બહારથી પ્રાપ્ત થતો નથી. આત્મામાં જ સાચું સુખ છે, માટે તું બહાર પરિભ્રમણ કરમા. (૨૬૯)
विद्यया न सुखं सत्यं न च शान्तिरविद्यया । शास्त्रेभ्यो न सुखं शान्तिर्विवादाच्च न जायते ॥२७० ॥
સાચું સુખ લૌકિક વિદ્યાથી નથી. અવિદ્યાથી પણ શાંતિ નથી. શાસ્ત્રોથી સુખ નથી અને વિવાદથી શાંતિ થતી નથી. (૨૭૦)
૫૪
For Private And Personal Use Only