________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मया क्षायिकभावेन प्राप्ता नो स्वात्मसद्गुणाः । अनुभवोऽद्यपर्यन्तमेवं शास्त्रादितस्तथा ।। २३१ ॥
મારા વડેક્ષાવિકભાવથી પોતાના આત્માના સદ્ગુણો પ્રાપ્ત કરાયા નથી. આજ સુધી અનુભવ એવો છે અને શાસ્ત્ર વગેરેથી પણ તેમ જ છે. (૨૩૧)
तथापि स्वात्मशुद्ध्यर्थं क्षयोपशमभावतः । ज्ञानसंयमयोगानामभ्यासः क्रियतेऽधुना ॥ २३२॥
તો પણ પોતાના આત્માની શુદ્ધિને માટે ક્ષયોપશમભાવથી જ્ઞાન અને સંયમના યોગોનો અભ્યાસ હમણાં મારા વડે કરાય છે. (૨૩૨)
शुद्धात्मरमणाभ्यासाज्ज्ञानध्यानोपयोगतः। . क्षायिककेवलज्ञानं प्राप्स्येऽहं भावि जन्मनि ॥२३३ ॥
શુદ્ધાત્મામાં રમણ કરવાના અભ્યાસથી તથા જ્ઞાન અને ધ્યાનમાં ઉપયોગ રાખવાથી ભાવિ જન્મમાં હું ક્ષાયિક કેવલજ્ઞાન પ્રાપ્ત કરીશ. (૨૩૩)
क्षयोपशमजन्या ये गुणास्ते क्षायिकान्प्रति । आन्तरा हेतवो नूनं वीर्योत्साहप्रवाहत : ॥२३४ ॥
જે ગુણો ક્ષયોપયોગથી ઉત્પન્ન થયેલા છે, તે ખરેખર વીર્ય અને ઉત્સાહના પ્રવાહથી ક્ષાયિક ગુણો પ્રત્યે આંતરિક હેતુઓ છે. (૨૩૪)
क्षयोपशम भावस्य स्युर्ये निमित्तहेतवः । आलम्ब्या हेतवस्तेभ्यो जायन्ते स्वात्मसद्गुणाः ॥२३५॥
ક્ષયોપશમભાવના જે નિમિત્ત હેતુઓ અર્થાત્ કારણો છે, તે હેતુઓ આલંબન લેવા યોગ્ય છે. તેનાથી પોતાના આત્માના સગુણો પ્રગટ થાય છે. (૨૩૫)
४७
For Private And Personal Use Only