________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शुद्धात्मजीवनं लक्ष्यं कृत्वा जीवन्ति पुद्गलैः। आत्मजीवनलाभार्थं जीवन्ति ते वपुःस्थिताः ॥२३६ ॥
જેઓ શુદ્ધાત્મ જીવનને લક્ષ્ય કરીને પુગલો વડે જીવે છે, તેઓ શરીરમાં રહેલા હોવા છતાં પણ આત્મ જીવનના લાભને માટે જીવે છે. (૨૩૬)
शुद्धाऽऽत्मजीवनं लक्ष्यं नाऽस्ति येषां हृदि स्फुटम् । जीवन्तोऽपि न जीवन्ति पुद्गलैानमन्तरा ॥२३७ ॥
જેઓનાં Æયમાં શુદ્ધાત્મ જીવનનું સ્પષ્ટ લક્ષ્ય નથી, તેઓ જ્ઞાન વિના પુદ્ગલો વડે જીવતાં હોવા છતાં પણ જીવતાં નથી. (૨૩૭)
जीवन्तोऽपि मृतास्ते स्युर्ब्रह्मजीवनमन्तरा । शुद्धात्मप्रेमबोधाद्यैः प्राणनाशेऽपि जीविनः ॥ २३८ ॥
બ્રહ્મમય જીવન વિના તેઓ જીવતાં હોવા છતાં પણ મરેલાં છે, અને બ્રહ્મમય જીવનવાળા પ્રાણોનો નાશ થવા છતાં પણ શુદ્ધાત્માનાં પ્રેમ, જ્ઞાન વગેરેથી જીવનારા છે. (૨૩૮)
सङ्कीर्णदृष्टिमन्तो ये देशकालाधुपाधिभिः । परब्रह्म न संयान्ति जडव्यामोहधारकाः ॥२३९ ॥
જેઓ દેશ, કાલ ઈત્યાદિની ઉપાધિઓથી સંકીર્ણ દૃષ્ટિવાળા છે અને જડની આસક્તિને ધારણ કરનારા છે, તેઓ પરબ્રહ્મને પ્રાપ્ત કરતા નથી. (૨૩૯)
मत्तबुद्धिं विना सन्तो मत्तद्भावोपचारिणः । व्यवहारात्प्रवर्तन्ते यथायोग्यस्वकर्मसु ॥२४० ॥
મારું અને તારૂં' - એવી બુદ્ધિ વિના મારું અને તારૂં' - એવા ભાવનો ઉપચાર કરનારા સત્પરુષો યથા યોગ્ય રીતે પોતાનાં કાર્યોમાં પ્રવર્તે છે. (૨૪૦)
४८
For Private And Personal Use Only