________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शुद्धोपयोगिनां सर्वं विश्वमात्मविशुद्धये । अस्त्रवा अपि मुक्यर्थं परिणमन्ति भावतः ॥ २२१ ॥
શુદ્ધોપયોગવાળાઓને આખું વિશ્વ આત્માની વિશુદ્ધિને માટે થાય છે. તેઓને આગ્નવો પણ ભાવથી મુક્તિને માટે પરિણમે છે. (૨૨૧)
उत्तरोत्तरहेतूनां हेयोपादेयता भवेत् । नृणां नानाप्रभेदत्वं हेतूनां च परस्परम् ॥ २२२ ॥
મનુષ્યોના અને હેતુઓના પરસ્પર વિવિધ પ્રકારો હોવાથી ઉત્તરોત્તર હેતુઓની હેયતા તેમજ ઉપાદેયતા થાય છે. (૨૨૨)
शुद्धोपयोगिनां यत्तत् कर्तुं युज्येत वा न तद् । अयोग्यं यच्च योग्यं तज्जानन्ति ते विवेकतः ॥२२३ ॥
શુદ્ધોપયોગવાળાઓને જે કરવું ઘટે છે કે નહીં તે અને જે અયોગ્ય કે યોગ્ય છે, તે તેઓ વિવેકથી જાણે છે. (૨૨૩)
शुद्धोपयोगिनां सर्वं स्वान्योपकृतिहेतवे। स्वल्पदोषमहाधर्महेतवे च यथातथम् ॥२२४ ॥
શુદ્ધોપયોગવાળાઓનું બધું સ્વ-પરના ઉપકારને માટે હોય છે અને તે સાચી રીતે સ્વલ્પ દોષ અને મહાધર્મને માટે થાય છે. (૨૨૪)
ज्ञानानन्दमयं पूर्णमात्मानं हदि चिन्तय । स्वाभाविकविवेकस्तु ततः संजायते स्वयम् ॥ २२५ ॥
જ્ઞાનાનંદથી યુક્ત એવા પૂર્ણ આત્માનું તું દ્ધયમાં ચિંતન કર. ત્યારપછી સ્વાભાવિક વિવેક તો આપોઆપ ઉત્પન્ન થાય છે. (૨૨૫)
૪૫.
For Private And Personal Use Only