________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शुद्धोपयोगिनां नृणां सर्वनिमित्त हेतवः । ग्राह्यास्त्याज्याश्च सापेक्षोपयोगत्वविवेकतः ॥२१६ ॥
શુદ્ધોપયોગવાળા મનુષ્યોને બધા નિમિત્ત હેતુઓ સાપેક્ષ ઉપયોગ પણાના વિવેકથી ગ્રાહ્ય અને ત્યાજ્ય થાય છે. (૨૧૬)
ग्राह्यास्तेऽपि च हेयाः स्युहेयाः स्युाह्यरूपिणः । देशकालदशाद्यैश्च निमित्तानां च हेतुता ॥२१७॥
ગ્રાહ્ય હોય તે પણ હય રૂપ થાય છે અને હેય હોય તે ગ્રાહ્યરુપ થાય છે. દેશ, કાલ, દશા વગેરેથી નિમિત્તોનું હેતુપણું નક્કી થાય છે. (૨૧૭)
अतः स्याद्वादबोधेन धर्मकर्मप्रवृत्तिषु । शुद्धोपयोगिनो लोका वर्तन्ते च यथातथम् ॥ २१८ ॥
તેથી શુદ્ધોપયોગવાળા લોકો સ્યાદ્વાદના જ્ઞાનથી યોગ્ય રીતે ધર્મકાર્યમાં વર્તે છે. (૨૧૮)
शुद्धप्रेमदयादानभक्तिसेवाप्रवृत्तिभिः । सात्त्विकैः सद्गुणैः सन्तो वर्तन्ते च यथातथम् ॥२१९॥
શુદ્ધ પ્રેમ, દયા, દાન, ભક્તિ તથા સેવાની પ્રવૃત્તિઓથી અને સાત્ત્વિક સગુણો વડે પુરુષો જેમ યોગ્ય હોય તેમ વર્તે છે. (૨૧૯)
असंख्यातनिमित्तानां हेतुता स्वोपयोगिनाम् । एकैक योगतो जीवा अनन्ता मुक्तिसंश्रिताः ॥ २२० ॥
પોતાના આત્મામાં ઉપયોગવાળાઓને અસંખ્યાત નિમિત્તોનું હેતુપણું હોય છે. એક એક યોગથી અનંતા જીવો મુક્તિ પામ્યા છે. (૨૨)
४४
For Private And Personal Use Only