________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रतिबन्धो न सर्वत्र सर्वकर्मसु धर्मिणाम्। प्रवृत्तिषु निषेधेषु निर्बन्धाः साधवः सदा ॥ २११ ॥
ધર્મીઓને બધાં કર્મોમાં દરેક સ્થળે પ્રતિબંધ નથી. પ્રવૃત્તિઓમાં અને નિવૃત્તિઓમાં સાધુઓ હંમેશાં બંધન વગરના હોય છે. (૨૧૧)
शुद्धोपयोगतः सन्तो मुक्ता धार्मिकबन्धनैः । तथापि बन्धनाचारैर्वर्तन्ते ते यथातथम् ॥२१२ ॥
શુદ્ધોપયોગને લીધે સપુરુષો ધાર્મિક બંધનોથી મુક્ત હોય છે, તો પણ તેઓ યથા યોગ્ય બંધનના આચારો વડે વર્તે છે. (૧૨)
व्रताचारेषु नैयत्यं नो गुणानां निजात्मनः । वेषव्रतक्रियायैस्तु भिन्ना आत्मगुणाः सदा ॥ २१३ ॥
વ્રતાચારોમાં પોતાના આત્માના ગુણોનું ચોક્કસપણું નથી. વેપ, વ્રત, ક્રિયા વગેરેથી આત્માના ગુણો સદા ભિન્ન છે. (૧૩)
एकान्तेन निमित्तत्त्वं नैव वेषक्रियादिषु । आत्मनः शुद्धये ज्ञेयाश्चैकान्तात् सात्त्विका गुणाः ॥२१४॥
વેષ, ક્રિયા વગેરેમાં એકાત્તથી નિમિત્તપણું નથી જ. સાત્ત્વિક ગુણો એકાન્તથી આત્માની શુદ્ધિ માટે જાણવા. (ર૧૪)
सर्वनिमित्तहेतूनां निमित्तत्वमपेक्षया । सम्यग्दृशां भवत्येव द्रव्यं भावस्य कारणम् ॥ २१५ ।।
સર્વ નિમિત્ત હેતુઓનું નિમિત્તપણે અપેક્ષાએ છે. સમ્યગ્દષ્ટિઓને દ્રવ્ય ભાવનું કારણ બને જ છે. (૨૧૫)
४३
For Private And Personal Use Only