________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
निजाऽऽत्मैव परब्रह्म विज्ञाय स्वात्मसंस्थितः । शुद्धोपयोगतः सत्यां भावय ब्रह्मभावनाम् ॥ २०६ ॥
પોતાનો આત્મા જ પરબ્રહ્મ છે - એમ જાણીને પોતાના આત્મામાં રહેલો એવો તું શુદ્ધોપયોગથી સાચી બ્રહ્મભાવના ભાવ. (૨૦૬)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्थिरदीपकवद्ध्यानमात्मनः स्याद्यदा तदा । आत्मा प्रकाशते साक्षात् स्वस्मिन् स्वानुभवः स्वतः ॥२०७॥ જ્યારે સ્થિર દીપક જેવું આત્માનું ધ્યાન થાય, ત્યારે આત્મા સાક્ષાત્ પ્રકાશે છે અને પોતાનામાં પોતાની મેળે પોતાનો અનુભવ થાય છે. (૨૦૭)
बाह्यतः कर्म कुर्वन् सन्नात्मानं हृदि चिन्तय । स्वयं स्वस्मिन् परिणामी भव शुद्धात्मभावतः ॥२०८॥ બહારથી કર્મ કરતો છતાં તું હ્દયમાં આત્માનું ચિન્તન કર તથા શુદ્ધ આત્મભાવથી પોતે પોતામાં પરિણમનાર થા. (૨૦૮)
बाह्यदृश्येषु नैवाऽस्ति किञ्चिदपि निजात्मनः । अतो बाह्येषु नो कुर्या मत्तद्वृत्तिं तु मोहतः ॥ २०९ ॥
બાહ્ય દશ્ય પદાર્થોમાં પોતાના આત્માનું કાંઈ પણ નથી, તેથી તું મોહથી ‘મારું, તારૂં’ એવી વૃત્તિ બાહ્ય પદાર્થોમાં ન કર. (૨૦૯)
जडपदार्थविज्ञानं कृत्वा स्वात्मोपयोगिनीम् । प्रवृत्तिमाचर त्वं तामात्मप्रगतिहेतवे ॥ २१० ॥
જડ પદાર્થોનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને પોતાના આત્માને ઉપયોગી એવી તે પ્રવૃત્તિનું તું આત્માની પ્રગતિ માટે આચરણ કર. (૨૧૦)
૪૨
For Private And Personal Use Only