________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शुद्धोपयोगतो मोक्ष आत्मन आत्मनि स्थितः । तज्ज्ञाता सिद्धिमाप्नोति शुद्धाऽऽत्मरसवेदवान् ॥१४१॥
આત્મામાં રહેલા શુદ્ધોપયોગથી આત્માનો મોક્ષ થાય છે. તે જાણનાર શુદ્ધાત્મરસના જ્ઞાનવાળો સિદ્ધિ પ્રાપ્ત કરે છે. (૧૪૧)
कामोदयस्य सङ्कल्पान् निरोधयति बोधतः । शब्दरूपरसस्पर्शान् नेच्छति सुखबुद्धितः ॥१४२॥
આત્મજ્ઞાની કામોદયના સંકલ્પોનો જ્ઞાનથી નિરોધ કરે છે અને તે શબ્દ, ૫, રસ અને સ્પર્શને સુખની બુદ્ધિથી ઈચ્છતો નથી. (૧૨)
सर्वोपाधिषु निःसङ्गः लोकसङ्गविवर्जितः। हृदि साक्षात्करोत्येव स्वात्मानं स्वात्मरङ्गवान् ।।१४३ ॥
લોકોના સંગને તજી દેનાર અને બધી ઉપાધિઓમાં નિઃ સંગ રહેનાર પોતાના આત્માની મસ્તીવાળો પોતાના આત્માને હૃયમાં સાક્ષાત્ કરે જ છે. (૧૪૩)
शुद्धात्मचित्तलग्नस्य योग्याहारविहारिणः । साक्षिभावोपयोगस्य हदि ब्रह्म प्रकाशते ॥१४४॥
શુદ્ધાત્મામાં જેનું ચિત્ત લાગેલું છે, એવા યોગ્ય આહાર - વિહારવાળા અને સાક્ષીભાવરુપ ઉપયોગવાળાના સ્ટયમાં બ્રહ્મ પ્રકાશ છે. (૧૪૪)
मनोवाक्कायगुप्तस्य पञ्चसमितिधारिण:। शुद्धाऽऽत्मप्रेममग्नस्य शुद्धब्रह्म प्रकाशते ॥१४५ ॥
મન-વચન અને કાયાની ગુપ્તિઓથી યુક્ત તથા પાંચ સમિતિઓને ધારણ કરનારા અને શુદ્ધાત્માના પ્રેમમાં મગ્ન રહેનારને શુદ્ધબ્રહ્મ પ્રકાશે છે. (૧૫)
૨૯
For Private And Personal Use Only