________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनादिकर्मयुक्तोऽपि मुक्तः स्यात् कर्मनाशतः । सुद्गुरुदेवधर्माणां श्रद्धया ज्ञानमुद्भवेत् ॥१३६ ॥
અનાદિ કર્મોથી યુક્ત હોવા છતાં પણ આત્મા કર્મોના નાશથી મુક્ત થાય છે. સુદેવ, સુગુરુ અને સુધર્મની શ્રદ્ધાથી સમ્યજ્ઞાન ઉત્પન્ન થાય છે. (૧૩૬)
देवे गुरौ च धर्मे च श्रद्धाभक्तिप्रतापतः ॥ सम्यग्दर्शनसंप्राप्तिर्भव्यानां जायते शुभा ॥१३७ ॥
દેવમાં, ગુરુમાં અને ધર્મમાં શ્રદ્ધા અને ભક્તિના પ્રતાપે ભવ્યજીવોને શુભ એવી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. (૧૩૭)
सम्यग्दर्शनसामर्थ्याच्चारित्रमोहनाशतः । आत्मा परात्मतां याति शुद्धज्ञानादिसद्गुणैः ॥१३८ ॥
સમ્યગ્દર્શનના સામર્થ્યથી ચારિત્ર મોહનો નાશ થતાં શુદ્ધજ્ઞાન વગેરે સગુણો વડે આત્મા જ પરમાત્મપણાને પ્રાપ્ત કરે છે. (૧૩૮)
आत्मा स्वान्यं यदा सम्यग् जानाति चेत्तदा स्वयम् । तिरोभूतगुणानां स आविर्भावं करोति वै ॥१३९ ॥
જ્યારે આત્મા સ્વ અને પરને બરાબર જાણે છે, ત્યારે તે સ્વયં ઢંકાયેલા ગુણોનો આવિર્ભાવ કરે જ છે. (૧૩૯)
तिरोभूतगुणानां यत् प्राकट्यं सर्वथा भवेत् । मोक्ष एव परिज्ञेय आत्मनि तत्त्ववेदिभिः ॥१४० ।।
આત્મામાં ઢંકાયેલા ગુણોનું જે સર્વથા પ્રાકટ્ય થાય, તેને તત્ત્વના જાણકારોએ મોક્ષ જાણવો. (૧૪૦)
૨૮
For Private And Personal Use Only