________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
कषायोत्पादकस्त्याज्यो नृणां सङ्गो विवेकिभिः । गीतार्थसद्गुरोः सङ्गः कर्तव्यो मोक्षकाङ्क्षिभिः ॥१४६॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષની ઈચ્છાવાળા વિવેકી જનોએ કષાયોને ઉત્પન્ન કરનારો લોકોનો સંગ છોડવો જોઈએ અને ગીતાર્થ સદ્ગુરુનો સંગ કરવો જોઈએ. (૧૪૬)
शुद्धप्रेम दया सत्यं क्षमा निर्लोभता तथा । संयमश्च दमो दानमात्मानन्दोऽस्ति मुक्तये ॥ १४७ ॥
શુદ્ધ પ્રેમ, દયા, સત્ય, ક્ષમા, નિર્લોભતા તથા સંયમ, દમ, દાન અને આત્માનંદ મુક્તિને માટે થાય છે. (૧૪૭)
अविद्यामोहवृत्तीनां क्षयेण स्वात्मशुद्धता । आत्मनः पूर्णशुद्धिः सा मुक्तिरेव सतां मता ॥ १४८ ॥
અવિદ્યાથી જન્મેલી મોહવૃત્તિઓના ક્ષયથી પોતાના આત્માની શુદ્ધતા થાય છે. આત્માની પૂર્ણશુદ્ધિ, તે સત્પુરુષોએ મુક્તિ જ કહી છે. (૧૪૮)
विश्वेन सार्धमेकत्वमात्मनो ब्रह्मसत्तया । भावयन् व्यापको ह्यात्मा भवेद् बाह्यान्तरो विभुः ॥ १४९ ॥
બ્રહ્મ સત્તા વડે આત્માનું વિશ્વ સાથે એકત્વ ભાવતાં આત્મા ખરેખર બહા૨ અને અંદર વ્યાપક એવો વિભુ બને છે. (૧૪૯)
सर्वविषयकामेच्छामन्तरा सर्वदेहिनाम् ।
सार्धं शुद्धात्मनः प्रीत्या वर्तनं तत्तु मुक्तये ।। १५० ।।
બધા વિષયો અને કામની ઈચ્છા સિવાય સર્વ દેહધારીઓના શુદ્ધાત્માની સાથે પ્રેમથી વર્તવું, તે મુક્તિને માટે થાય છે. (૧૫૬)
૩૦
For Private And Personal Use Only