________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
कोटिकोटितपोयज्ञतीर्थयात्रादिकर्मतः । अनन्त उत्तमः श्रेष्ठः शुद्धोपयोग आत्मनः ॥ ७६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનો શુદ્ધોપયોગ કોટિ કોટિ તપ, યજ્ઞ, તીર્થયાત્રા આદિ કર્મ કરતાં અનંત ગણો ઉત્તમ અને શ્રેષ્ઠ છે. (૭૬)
शुद्धोपयोगतो मुक्तिः सर्वदर्शनधर्मिणाम् । समत्वमुपयोगोऽस्ति ह्येकता लीनता तथा ॥ ७७ ॥
બધાં દર્શનવાળાધર્મીઓની મુક્તિ શુદ્ધોપયોગથી થાય છે. ખરેખર સમત્વ, એકતા તથા લીનતા એ જ શુદ્ધોપયોગ છે (૭૭)
व्यक्ते साम्योपयोगे हि केवलज्ञानभास्करः । हृदि प्रादुर्भवत्येव लोकालोकप्रकाशकः ॥ ७८ ॥
જ્યારે સામ્યોપયોગ પ્રગટે છે, ત્યારે લોક અને અલોકને પ્રકાશિત કરનાર કેવળજ્ઞાનરુપી સૂર્ય હૃદયમાં પ્રાદુર્ભાવ પામે જ છે. (૭૮)
साम्योपयोगिनां मुक्तिः सर्वधर्मस्थदेहिनाम् । अनार्याणां तथाऽऽर्याणां नारीणां च नृणां भवेत् ॥७९॥
સમતામાં ઉપયોગવાળા સર્વધર્મોમાં રહેલા દેહધારી આર્યોની તથા અનાર્યોની, સ્ત્રીઓની અને પુરૂષોની મુક્તિ અવશ્ય થાય છે. (૭૯)
शुद्धात्मन: स्मृतिं धृत्वा हृदि शुद्धात्मधारणम् । कुर्वन्नाऽऽत्मनि मग्नो यः स शुद्धात्मा भवेद्रयात् ॥ ८० ॥
જે શુદ્ધાત્માનું સ્મરણ કરીને હ્દયમાં શુદ્ધાત્માને ધારણ કરતો આત્મામાં મગ્ન થાય છે, તે શીઘ્ર શુદ્ધાત્મા બને છે. (૮૦)
૧૬
For Private And Personal Use Only