________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कषायोपशमे जाते चित्तवृत्तिसमाधयः । प्रादुर्भवन्ति शान्तानां योगिनामुपयोगतः ।।७१ ॥
જ્યારે કષાયોનો ઉપશમ થાય છે, ત્યારે શાન્ત થયેલા યોગીઓને ઉપયોગથી ચિત્તવૃત્તિ નિરોધક સમાધિઓ ઉત્પન્ન થાય છે. (૭૧)
आत्मोपयोग एवाऽस्ति समाधि ज्ञानिनां सदा । सर्वकार्यं प्रकुर्वन् सन् ज्ञानी सत्यसमाधिमान् ॥७२॥
જ્ઞાનીઓને સદા આત્મોપયોગ એ જ સમાધિ છે, તેથી સર્વ કાર્ય કરતો હોવા છતાં પણ જ્ઞાની સાચી સમાધિવાળો છે. (૭૨)
हठादनन्तशिष्टोऽस्ति शुद्धोपयोग आत्मनः । हठयोगो बहिर्हेतुः शुद्धोपयोग आन्तरः ॥७३॥
આત્માનો શુદ્ધોપયોગહઠયોગ કરતાં અનંત ગણો શ્રેષ્ઠ છે, કારણકે હઠયોગ બહિહેતુ છે, જ્યારે શુદ્ધોપયોગ એ આન્સર હેતુ છે. (૭૩)
स्मारं स्मारं चिदाऽऽत्मानमुपयोगी भवेत् प्रभुः। देहस्थोऽपि स निर्देही सर्वविश्वं प्रकाशयेत् ॥७४॥
ચિદાત્માનું વારંવાર સ્મરણ કરતાં ઉપયોગવાળો પ્રભુ બને છે. અને તે દેહમાં રહેલો હોવા છતાં પણ નિર્દેહી અર્થાત્ દેહ વગરનો છે. સર્વ વિશ્વને પ્રકાશે છે. (૭૪)
अनन्तपुण्ययोगाच्च सतां भक्तिप्रतापतः । सुद्गुरोराशिषो व्यक्तः स्यादुपयोग आत्मनि ॥७५ ॥
અનંત પુણ્યના યોગે અને સત્પરૂષોની ભક્તિના પ્રતાપે અને સદ્ગુરુના આશીર્વાદથી આત્મામાં ઉપયોગ વ્યક્ત થાય છે. (૭૫)
૧૫
For Private And Personal Use Only