________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मोन्नतिक्रमैर्युक्तः सम्यग्दृष्टिर्यदा तदा। यत्र तत्र स्थितः कर्म कुर्वन्मुक्तो भवेद्रयात् ॥५१॥
જ્યારે સમ્યગ્દષ્ટિ જીવ આત્મોન્નતિના ક્રમથી યુક્ત હોય છે, ત્યારે તે જ્યાં રહેલો હોય, ત્યાં કર્મ કરતો હોવા છતાં વેગથી મુક્ત થાય છે. (૫૧)
यादृक् तादृगवस्थायामात्मज्ञानी स्वभावतः । बाह्यत उच्चनीचोऽपि मुक्तः स्यात् कर्मभोगवान् ॥५२॥
બાહ્યદૃષ્ટિએ ઉચ્ચ કે નીચ હોય તો પણ ગમે તે અવસ્થામાં સ્વાભાવિક રીતે કર્મોને ભોગવનારો આત્મજ્ઞાની મુક્ત થાય છે. (૫૨)
कर्मोपाधिकृता भावास्तद्भिन्नो निश्चयात् स्मृतः । सोऽहं तत्त्वमसि प्रोक्त आत्माऽसंख्यप्रदेशकः ॥५३ ॥
સોડદં, “તત્ત્વત્તિ' ઈત્યાદિ મહાવાક્યો દ્વારા કહેવાયેલો આત્મા નિશ્ચયથી કર્મોપાધિજન્ય ભાવોથી ભિન્ન અને અસંખ્ય પ્રદેશવાળો મનાયો છે. (૫૩)
अनन्तदर्शनज्ञानचारित्रवीर्यवान् स्वयम् । अनन्तगुणपर्यायैरुत्पादव्ययधारकः ॥५४॥
આત્મા સ્વયં અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર અને અનંત વીર્યવાળો તથા અનંત ગુણો અને અનન્ત પર્યાયોથી ઉત્પાદ અને વ્યયને ધારણ કરનારો છે. (૫૪)
आत्मना सत्तया ध्रौव्यमेकत्वं च प्रवर्तते । अनित्यत्वं स्वपर्यायगुणैरात्मसु वर्तते ।।५५ ।।
સત્તાથી આત્મા દ્વારા ધ્રૌવ્ય અને એકપણે પ્રવર્તે છે અને આત્માઓમાં પોતાના પર્યાયો અને ગુણો વડે અનિત્યત્વ વર્તે છે. (૫૫)
For Private And Personal Use Only