________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
आत्मज्ञानी भवत्येव शुद्धोपयोगवान् जनः । स्वाधिकारेण कर्माणि कुर्वन्नपि स निष्क्रियः ॥ ४६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ
શુદ્ધોપયોગવાળો મનુષ્ય આત્મજ્ઞાની બને જ છે અને પોતાના અધિકાર પ્રમાણે કર્મો કરતો હોવા છતાં પણ તે નિષ્ક્રિય રહે છે. (૪૬)
पूजादिधर्मकार्येषु भक्त्यादिपरिणामतः ।
बाह्यतो हिंसकोऽपि स्यात् स निर्हिंसकभाववान् ॥ ४७॥
પૂજાદિ ધર્મકાર્યોમાં બહારથી હિંસક દેખાતો હોવા છતાં પણ ભક્તિ વગેરેના પરિણામથી તે વસ્તુતઃ નિહિઁસક (અહિંસક) ભાવવાળો હોય તે છે. (૪૭)
व्यक्ते स्वात्मोपयोगे तु सक्रियो वाऽपि निष्क्रियः । गृही त्यागी जनः कोऽपि मुक्ताऽऽत्मा जायते जिनः ॥ ४८ ॥
જ્યારે સ્વાત્મોપયોગ વ્યક્ત થાય છે, ત્યારે સક્રિય અથવા તો નિષ્ક્રિય, ગૃહસ્થ કે ત્યાગી કોઈ પણ મનુષ્ય મુક્તાત્મા-જિન બને છે. (૪૮)
मुक्तिरसंख्ययोगैः स्याज्जिनेन्द्रैः परिभाषिता । असंख्यदृष्टियोगानां सापेक्षी स्वात्मयोगिराट् ॥ ४९ ॥
શ્રીજિનેન્દ્રોએ કહેલી મુક્તિ અસંખ્ય યોગથી પ્રાપ્ત થાય છે. માટે અસંખ્ય દર્શનો અને યોગોનો સાપેક્ષ રીતે વિચાર કરનાર પોતાનો આત્મા જ યોગીરાજ છે. (૪૯)
अत आत्मोपयोगेन ज्ञानी शुद्धोपयोगवान् । सर्वत्र सर्वथा कर्मनिर्जराकृदबन्धकः ॥ ५० ॥
એથી શુદ્ધોપયોગવાળો જ્ઞાની આત્મોપયોગ વડે બધે જ સંચિત કર્મોની નિર્જરા કરનારો અને સર્વથા નવીન કર્મોનો બંધ નહીં કરનારો થાય છે. (૫૦)
૧૦
For Private And Personal Use Only