________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
यत्र तत्र समाधिर्हि शुद्धोपयोगयोगिनाम् । शुद्धोपयोग एवाऽस्ति राजयोगः सतां सदा ॥ ४१ ॥
શુદ્ધોપયોગવાળા લોગીઓને સર્વત્ર સમાધિ જ હોય છે, કારણ કે સપુરૂષોને સદા શુદ્ધોપયોગ રુપ રાજયોગ જ હોય છે. (૪૧)
शुद्धोपयोगतः सिद्धिः स्वात्मना स्वनुभूयते । शीघ्रं मनोजयः स्वेन क्रियते नैव संशयः ॥ ४२ ॥
પોતાના આત્મા વડે શુદ્ધોપયોગ દ્વારા સિદ્ધિ સારી રીતે અનુભવાય છે, તેથી પોતાના આત્માથી મનોજ્ય શીધ્ર કરી શકાય છે, તેમાં સંશય નથી. (૪૨)
आद्यः शुद्धोपयोगस्तु सविकल्पः प्रजायते । निर्विकल्पस्ततो भूयाद् घातिकर्मविनाशकृत् ॥४३॥
શરૂઆતનો શુદ્ધોપયોગ તો સવિકલ્પ હોય છે અને પછી તે નિર્વિકલ્પ બને છે. જે ઘાતકર્મોનો વિનાશ કરનાર છે. (૪૩)
सम्यग्दृष्टिमनुष्याणां मुक्तरिच्छा प्रजायते । मुक्यर्थिनां क्रियाः सर्वा भवन्ति मोक्षहेतवे ॥४४॥
સમ્યગ્દષ્ટિ મનુષ્યોને મુક્તિની ઈચ્છા થાય છે અને મુક્તિના અર્થીઓની બધી ક્રિયાઓ મોક્ષના આશયથી જ થાય છે. (૪૪)
शुद्धोपयोगसंप्राप्तिर्मुक्यर्थिनां भवेत् खलु । परिणाम: शुभस्तेषां शुद्धोपयोगसम्मुखः ॥ ४५ ॥
મુક્તિના અર્થીઓને જ ખરેખર શુદ્ધોપયોગની સંપ્રાપ્તિ થાય છે અને તેઓના શુભ પરિણામ શુદ્ધોપયોગ સંમુખ થાય છે. (૪૫)
For Private And Personal Use Only