________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
निन्दायां नैव शोकोऽस्ति स्तुतौ गर्वो न जायते । मोहो न नामरूपेषु ज्ञानी मुक्तस्तदा भवेत् ॥ ३६॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યારે નિંદામાં શોક થતો જ નથી અને સ્તુતિમાં ગર્વ થતો નથી તથા નામ અને રુપમાં મોહ થતો નથી, ત્યારે જ્ઞાની મુક્ત બને છે. (૩૬)
शुद्धोपयोगिनः शुद्धिः कृतेषु सर्वकर्मसु ।
स्पृशन् खादंश्च पश्यन्सः कुत्राऽपि नैव मुह्यति ॥ ३७ ॥
સર્વકાર્યો કરવા છતાં પણ શુદ્ધોપયોગવાળાની શુદ્ધિ કાયમ રહે છે, કારણ કે સ્પર્શ કરતાં, ખાતાં અને જોતાં તેં ક્યાંય પણ મોહ પામતો જ નથી. (૩૭)
आत्मरसं समासाद्य पश्चाद् भोगे न मुह्यति । ज्ञानी भोगेषु निर्भीगी निर्मोहवृत्तियोगतः ॥ ३८ ॥
જ્ઞાની આત્મરસને પ્રાપ્ત કર્યા પછી ભોગમાં મોહ પામતો નથી. નિર્મોહવૃત્તિના યોગે ભોગમાં પણ નિર્ભાગી રહે છે. (૩૮)
यथाऽब्धौ सरितो मान्ति सर्वयोगास्तथाऽऽत्मनि । शुद्धोपयोगसंप्राप्तौ नाऽन्ययोगप्रयोजनम् ॥ ३९ ॥
જેમ સમુદ્રમાં નદીઓ સમાય જાય છે, તેમ બધા યોગો આત્મામાં સમાય જાય છે. તેથી શુદ્ધોપયોગની પ્રાપ્તિ થતાં અન્ય યોગોનું પ્રયોજન રહેતું નથી. (૩૯)
तपो ध्यानं समाधिश्च मान्ति शुद्धात्मसंस्मृतौ । वैषयिकरसाः सर्वे निवर्तन्ते स्वभावतः ॥ ४० ॥
શુદ્ધાત્માની સંસ્કૃતિમાં તપ, ધ્યાન અને સમાધિ સમાય જાય છે. તેથી બધા વૈયિક-રસો સ્વાભાવિક રીતે જ નિવર્તન પામે છે - ટળી જાય છે કે પાછા ફરી જાય છે. (૪૦)
.
For Private And Personal Use Only