________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
परात्मानं हदि ध्यात्वा स्वाऽऽत्मा व्यक्तो भवेत् प्रभुः । आत्मानमन्तरा मह्यां कोऽपिनाऽस्ति प्रकाशकः॥३१॥
પરમાત્માનું દયમાં ધ્યાન કરીને પોતાનો આત્મા સ્પષ્ટ પ્રભુ બને છે. આત્મા સિવાય પૃથ્વી પર અન્ય કોઈ પણ પ્રકાશક નથી. (૩૧)
शुद्धोपयोगवेलायां पूर्णानन्दप्रकाशता । व्यक्ताभवेद्धृदि स्पष्टा प्रत्यक्षमनुभूयते ॥ ३२ ॥
શુદ્ધોપયોગ સમયે પૂર્ણાનંદની પ્રકાશતા વ્યક્ત થાય છે અને બ્દયમાં સ્પષ્ટ પ્રત્યક્ષ અનુભવાય છે. (૩૨)
जडविषयिभोगेषु सत्यानन्दो न वर्तते । भोगे रोगश्च दुःखश्च जन्ममृत्युपरम्परा ॥ ३३ ॥
જડ વિષયના ભોગોમાં સાચો આનંદ વર્તતો નથી, કારણકે ભોગમાં રોગ અને દુઃખ તથા જન્મ-મૃત્યુની પરંપરા જ હોય છે. (૩૩)
वपुरिन्द्रियभोगेन सुखं तु दुःखमेव च। स्वप्नोपमं प्रविज्ञाय योगी तत्र न मुह्यति ॥ ३४ ॥
દેહની ઈન્દ્રિયોના ભોગથી ઉત્પન્ન થતું સુખ તો દુઃખ જ છે, તેથી તેને સ્વપ્ન સમાન જાણીને યોગી તેમાં મોહ પામતો નથી. (૩૪)
लाभेऽलाभे सुखे दुःखे मानेऽमाने शुभाशुभम् । कल्पितं मोहबुद्ध्या यत् तत्र ज्ञानी न मुह्यति ॥ ३५ ॥
લાભમાં અને અલાભમાં, સુખમાં અને દુઃખમાં, માનમાં અને અપમાનમાં મોહ-બુદ્ધિથી શુભ અને અશુભની જે કલ્પના કરવામાં આવી છે, તેમાં જ્ઞાની મોહ પામતો નથી. (૩૫)
For Private And Personal Use Only