________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
शुद्धोपयोगवेलायामात्मनः परमात्मता ।. चिदानन्दस्वरूपेण व्यक्ताऽनुभूयते मया ॥ २६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધોપયોગ સમયે આત્માની પરમાત્મતા ચિદાનંદ સ્વરુપે મારા વડે સ્પષ્ટ અનુભવાય છે. (૨૬)
शुद्धोपयोगसामर्थ्यमनन्तं कर्मनाशकृत् । अनन्तशक्तिरूपात्मा तत्समः कोऽपि नो महान् ॥ २७ ॥
કર્મોનો નાશ કરનારું શુદ્ધોપયોગનું સામર્થ્ય અનંત છે, તેથી અનંત શક્તિરુપ આત્મા સમાન મહાન કોઈ પણ નથી. (૨૭)
आत्मन आत्मनोद्धार आत्मनि क्रियते ध्रुवम् । भवोऽशुद्धोपयोगेन मुक्तिः शुद्धोपयोगतः ॥ २८ ॥
‘અશુદ્ધોપયોગથી સંસાર અને શુદ્ધોપયોગથી મુક્તિ' છે. માટે આત્મા વડે જ આત્માનો ઉદ્ધાર આત્મામાં અવશ્ય કરાય છે. (૨૮)
आत्मानमुद्धरेदात्मा स्वात्मधर्मोपयोगतः । नाऽन्यः शक्तः समुद्धर्तुं ज्ञातुमात्मानमुद्धर ॥ २९ ॥
પોતાના આત્મ ધર્મના ઉપયોગ વડે આત્માએ આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ.
‘પોતાનો ઉદ્ધાર કરવા માટે બીજો કોઈ સમર્થ નથી' – એ જાણવા માટે તું પણ તારા આત્માનો ઉદ્ધાર કર.
अन्तर्मुखोपयोगेन स्वात्मारामो भवेत् प्रभुः । बहिर्मुखोपयोगेन जन्मदुःखपरम्परा ॥ ३० ॥ અન્તમુર્ખ ઉપયોગ વડે પોતાના આત્મામાં રમમાણ પ્રભુ બને છે,
જ્યારે બહિર્મુખ ઉપયોગથી જન્મ અને દુઃખની પરંપરા સર્જાય છે.
(૩૦)
દુ
For Private And Personal Use Only