________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
शुद्धोपयोगकाले तु संप्रति वपुषि स्थिते । परानन्दरसास्वादो मया संवेद्यते खलु ॥ २१ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાલ શરીરમાં રહેવા છતાં શુદ્ધોપયોગ સમયે તો પ૨ાનંદરુપી રસનો આસ્વાદ ખરેખર મારા વડે પણ સારી રીતે અનુભવાય છે. (૨૧)
क्षायोपशमिक ध्यानकाले शुद्धोपयोगता । अन्तर्मुहूर्तमात्रं च याति नश्यत्यनेकशः ॥ २२ ॥
ક્ષાયોપશમિક ધ્યાન કાળે શુદ્ધોપયોગતા અનેક વાર અન્તર્મુહૂર્ત માત્ર આવે છે અને નાશ પામે છે. (૨૨)
आत्मशुद्धोपयोगस्तु सर्वयोगशिरोमणिः ।
यत्प्राप्तौ विद्यते नैव निमित्तानां प्रयोजनम् ॥ २३ ॥
આત્મશુદ્ધોપયોગ તો સર્વ યોગોમાં શિરોમણિ છે; જેની પ્રાપ્તિ થયે છતે નિમિત્તોનું પ્રયોજન રહેતું જ નથી. (૨૩)
शुद्धोपयोग एवाऽस्ति शुद्धोपादानकारणम् । हृदि शुद्धोपयोग श्वेदत्र मुक्तिसुखं ध्रुवम् ॥ २४ ॥
શુદ્ધોપયોગ જ શુદ્ધ ઉપાદાનનું કારણ છે. માટે હૃદયમાં જો શુદ્ધોપયોગ હોય, તો અહીં જ શાશ્વત મુક્તિસુખ અનુભવાય છે. (૨૪)
शुद्धोपयोग ऐश्वर्यं यस्याऽसौ भगवान् स्वयम् । क्षायोपशमिकध्यानी जीवन्मुक्तो ह्यपेक्षया ॥ २५ ॥
જેને શુદ્ધોપયોગ રુપી ઐશ્વર્ય પ્રાપ્ત થયું છે, તે સ્વયં ભગવાન છે અને ક્ષાયોપશમિક ધ્યાનવાળો તે અપેક્ષાએ ખરેખર જીવન્મુક્ત છે. (૨૫)
૫
For Private And Personal Use Only