________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निर्विकल्पदशायां तु ब्रह्मशर्म समुल्लसेत् । ब्रह्मरसं समासाद्य शुद्धात्मा निःस्पृहो भवेंतू ॥ १६ ॥
નિર્વિકલ્પ- દશામાં બ્રહ્મ સુખ સારી રીતે ઉલ્લસિત થાય છે અને બ્રહ્મરસને પ્રાપ્ત કરીને શુદ્ધાત્મા નિઃસ્પૃહ બને છે. (૧૬)
शुभाशुभपरिणामो विद्यते नैव चेतने ।
समत्वं चाऽन्तरे बाह्य तदाऽऽत्मा भगवान् स्वयम् ॥१७॥
શુભાશુભ પરિણામ ચેતનમાં છે જ નહીં, તેથી જ્યારે બહાર અને અંદર સમત્વ પ્રાપ્ત થાય છે, ત્યારે આત્મા જ સ્વયં ભગવાન બને છે. (૧૭)
देहेन्द्रियपदार्थानां सम्यग्दृष्टया विलोकनम् । शुभाशुभविपाकेषु समत्वं तर्हि मुक्तता ॥ १८ ॥
દેહ, ઈન્દ્રિયો અને પદાર્થો (વિષય – વસ્તુઓ)ને સમ્યગ્દષ્ટિથી જોતાં શુભાશુભ કર્મ વિપાકોમાં સમત્વ પ્રાપ્ત થાય છે અને તે સમયે મુક્તતા અનુભવાય છે. (૧૮)
शुभाशुभपरिणामे नष्टे शुद्धोपयोगतः । आत्मशुद्धविचाराणां भवेच्छुद्धोपयोगता ॥ १९ ॥
જ્યારે શુદ્ધોપયોગથી શુભ અને અશુભ પરિણામ નષ્ટ થાય છે, ત્યારે આત્મા વિષે શુદ્ધવિચારોની શુદ્ધોપયોગતા થાય છે. (૧૯)
शुभाशुभे च नो भातो हृदि साम्यं च भासते । तदा सिद्धात्मनः शर्म स्वनुभूयते संप्रति ॥ २० ॥
જ્યારે શુભ અને અશુભ એ બંને ઉપયોગો રહેતા નથી અને હૃદયમાં સામ્ય પ્રકાશે છે, ત્યારે સિદ્ધાત્માનું સુખ અહીં જ વર્તમાનમાં સારી રીતે અનુભવાય છે. (૨૦)
For Private And Personal Use Only